________________
21
મતલબ બહેરાં બનીને ખોટી વાતને વળગી રહેવાની નીતિ, એ વર્ગની નિરાશા, નિરાધારતાનો પૂરાવો છે.
દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને ગુરુદ્રવ્ય બે માર્ગ દ્વારા આવે છે તેથી બંનેનો ઉપયોગ એ જ રીતે અલગ અલગ કરવાની શાસ્ત્રીય અને શાસ્ત્રાનુસારી પરંપરા મુજબ વ્યવસ્થા છે.
-
– દેવની પૂજા રૂપે સમર્પિત થયેલ (પૂજાથી ઉત્પન્ન) દ્રવ્યનો ઉપયોગ પૂજાદિ કાર્યમાં ન થાય. એમાંથી જીર્ણોદ્વારાદિ કરાય.
—દેવની પૂજા માટે સમર્પિત થયેલ દ્રવ્યનો ઉપયોગ જિનપૂજાદિમાં થઈ શકે. — જ્ઞાનની પૂજા રૂપે સમર્પિત થયેલ દ્રવ્યનો ઉપયોગ શ્રાવક કરી શકે નહિ. – જ્ઞાનની ભક્તિ માટે સમર્પિત થયેલ દ્રવ્યનો ઉપયોગ શ્રાવક કરી શકે. – ગુરુની પૂજા રૂપે સમર્પિત થયેલ દ્રવ્યનો ઉપયોગ વેયાવચ્ચમાં ન થાય. – ગુરુની ભક્તિ માટે સમર્પિત થયેલ દ્રવ્યનો ઉપયોગ વેયાવચ્ચમાં થાય.
એક પ્રશ્ન એવો પણ ચગેલો છે કે, શ્રાવક દેવદ્રવ્યથી જિનપૂજા કરે તો તેણે દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું છે એવો શાસ્ત્રપાઠ ક્યાં છે ? આમાં શ્રાવક દેવદ્રવ્ય ખાતો નથી ફક્ત દેવદ્રવ્યથી પૂજા જ કરે છે, તો તેને ભક્ષણનું પાપ કેવી રીતે લાગે ?
જો કે દેવદ્રવ્યથી પૂજા કરવાની અશાસ્ત્રીય વાતનો પ્રતિકાર કરતી વખતે જ્યાં પણ ‘દેવદ્રવ્યનું ભક્ષણ'ની વાત લખવામાં આવી હોય ત્યાં તેનો આશય ‘તે શ્રાવકે દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું છે, દેવદ્રવ્ય ખાઈ ગયો છે’ એવો કદી હોતો જ નથી. એને દેવદ્રવ્યના દુરુપયોગથી બચાવવા માટે એ ચોંકી ઉઠે તે માટે વાપરવામાં આવેલો ચોટદાર શબ્દ જ સમજવાનો છે. તમે એને દુરુપયોગના અર્થમાં લઈ શકો છો. પણ જો તેઓ શબ્દ પકડું બનીને રહેવા માંગતા હોય તો તેમના માટે એક પાઠ વાંચવા માટે અહીં મૂકું છું -
શ્રી મહાનિશીથ સૂત્રના પાંચમા અધ્યયનમાં કહ્યું છે કે –
-
से भयवं ! जेणं केइ साहू वा साहुणी वा निग्गंथे अणगारे दव्वत्थयं कुज्जा से णं किमालवेज्जा ? गोयमा ! जे णं केई साहू वा साहुणी वा निग्गंथे अणगारे दव्वत्थयं कुज्जा से णं अजयएइ वा असंजएइ वा देवभोइएड वा देवच्चगेइ वा जाव णं उम्मग्गपट्ठिएइ वा दूरुज्झियसीलेइ वा