SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ પ્રકરણ - ૪ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ? અને એમને વિશિષ્ટ દ્રવ્યો લાવવા માટે (શાસ્ત્રકારો રજા આપતા નથી એવા) દેવદ્રવ્યનો ઉપયોગ કરવાની શા માટે રજા આપો છે ? ત્યાં સામગ્રી નથી તો માત્ર અંતઃકરણ શુદ્ધ રાખવાનું કેમ જણાવતા નથી અને સ્વમતિકલ્પના મુજબ કેમ જણાવો છો ? (૩) શાસ્ત્રાજ્ઞાનું ઉલ્લંઘન કરીને “પારકા પૈસે દિવાળી કરવાની વૃત્તિ સેવવાથી શુભભાવની વૃદ્ધિ થશે? (૪) નિધન શ્રાવકોને શાસ્ત્રનિર્દિષ્ટ માર્ગ બતાવવાનો કે શાસ્ત્રનિષિદ્ધ માર્ગ બતાવવાનો ? – તમારે આ બધાનો શાસ્ત્રાધારે જવાબ આપવા જોઈએ. (C) 'C' વિભાગ જણાવેલી વાતમાં લેખકશ્રીને પ્રશ્ન છે કે, (૧) શક્તિમાન ધનવાન) આત્મા સ્વદ્રવ્યથી કરવા યોગ્ય પ્રભુપૂજાનું સ્વકર્તવ્ય દેવદ્રવ્ય કે પરદ્રવ્યથી પતાવી દે, તો એને લાભ ઓછો મળે અને ગેરલાભ ન થાય, એવું કયા શાસ્ત્રના આધારે કહો છો? (૨) લક્ષ્મીવતીએ દેરાસરના ઉપકરણોનો સ્વકર્તવ્યરૂપ ધર્માનુષ્ઠાનમાં ઉપયોગ કર્યો અને નકરો ઓછો આપ્યો, તો એને કેમ ગેરલાભ થયો ? નકરો ઓછો આપીને બચાવેલા પૈસા ભોગ-સંગ્રહમાં ગયા માટે જ ને? એ જ રીતે સ્વદ્રવ્ય બચાવીને દેવદ્રવ્યથી સ્વકર્તવ્ય પતાવી લે તો એને નુકશાન થાય કે નહીં? કુતર્ક-૮ઃ ૯૦°અને ૪૪ના ઠરાવમાં ફરક શું છે? (A) સ્વપ્નાદિકની બોલી-ચડાવાની રકમમાંથી (અશક્ત સ્થળોમાં) પૂજારીને પગારાદિ નહિ આપવાની વાત કરતાં આચાર્યો કહે છે કે, “પૂજારીને પગાર આપવા માટે કે દેરાસરમાં જરૂરી કેસર વગેરે પૂજા-સામગ્રી માટે બાર માસના કેસરાદિના ચડાવા બોલાવીને સાધારણ ખાતે રકમ જમા કરવી જોઈએ અને તેમાંથી જ પગાર વગેરે આપવા જોઈએ.”
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy