________________
૯૧
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
આજે દેવની પૂજા કોણ કરે અને દેવની પૂજા શામાંથી કરવી? તેની પણ ચિંતા ઊભી થવા માંડી છે. x x x x (પૃ.-૬)
ભગવાનની પૂજા માટે કેશર વગેરે જોઈએ તે ક્યાંથી લાવવું? પોતાની કહેવાતી ભગવાનની પૂજામાં પણ દેવદ્રવ્યનો ઉપયોગ શા માટે ન થાય? એવા પ્રશ્નો ઉઠવા માંડ્યા છે. * * * *
આજે એવો પણ પ્રચાર ચાલી રહ્યો છે કે, ભગવાનની પૂજામાં દેવદ્રવ્યનો ઉપયોગ કરવા માંડો ! x x x x કોઈ કોઈ ઠેકાણે તો એવાં રીતસરનાં લખાણો થવા લાગ્યાં છે કે, મંદિરની આવકમાંથી પૂજાની વ્યવસ્થા કરવી. આવું વાંચીએ સાંભળીએ ત્યારે થાય કે દેવદ્રવ્ય ઉપર સરકારની દાનત બગડી છે કે દેવદ્રવ્ય ઉપર જૈનોની દાનત બગડી છે? આપત્તિકાળમાં દેવદ્રવ્યમાંથી ભગવાનની પૂજા કરાવાય, એ વાત જુદી છે અને શ્રાવકોને પૂજા કરવાની સગવડ દેવદ્રવ્યમાંથી દેવાય, એ વાત જુદી છે. જેનો શું એવા ગરીબડા થઈ ગયા છે કે, પોતાના દ્રવ્યથી ભગવાનની દ્રવ્યપૂજા કરી શકે તેમ નથી? અને એ માટે દેવદ્રવ્યમાંથી તેમની પાસે ભગવાનની પૂજા કરાવવી છે? (પૃ. - ૧૦).
દેવદ્રવ્યની વાત તો દૂર રહી, પણ અન્ય શ્રાવકના દ્રવ્યથી પણ પૂજા કરવાનું કહેવામાં આવે તો જેનો કહેતા કે, એના દ્રવ્યથી અમે પૂજા કરીએ, એમાં અમને શો લાભ? * * * *
X X ૮ શ્રાવકે દ્રવ્યપૂજા શા માટે કરવાની છે? આરંભ અને પરિગ્રહમાં પ્રસ્ત જો છતી શક્તિએ દ્રવ્યપૂજા કર્યા વિના જ ભાવપૂજા કરે, તો તે પૂજા વાંઝણી ગણાય. XXX
પોતાના દ્રવ્યથી પૂજા કરવામાં ભાવવૃદ્ધિનો જે પ્રસંગ છે. તે પારકા દ્રવ્યથી પૂજા કરવામાં નથી. ભાવને પેદા કરવાનું કારણ ન હોય તો ભાવ પેદા થાય શી રીતે? પૃ.૧૧)
શ્રાવક પાસે દેવદ્રવ્યના કેસર આદિથી પૂજા કરવાની વાતો આજે શાસ્ત્રપાઠોના નામે પણ કરવામાં આવે છે અને તેમાં દા'ડે દાડે સમ્મતિ આપનારાઓ વધતા જાય છે. x x x 1 x x x “શેઠનાં ફૂલ અમે ભગવાનને ચડાવીએ, તેમાં અમને શું ફળ મળે?" એટલું, એ અજ્ઞાન અને અસંસ્કારી નોકરોને પણ સમજાયું અને શ્રાવકના મૂળમાં ઉત્પન્ન થયેલા, ધર્મગુરુઓના પરિચયમાં આવેલા, વ્યવહાર કુશળ બનેલા તમને