________________
६८
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા देवपूजापि स्वद्रव्येणैव यथाशक्ति कार्या, न तु स्वगृहढौकितनैवेद्यादिविक्रयोत्थद्रव्येण, देवसत्कपुष्पादिना वा, प्रागुक्तदोषात् । तथादेवगृहागतं नैवेद्याक्षतादि स्ववस्तुवत् सम्यग्रक्षणीयं सम्यग् मूल्यादियुक्त्या च विक्रेयं न तु यथा तथा मोच्यं, देवद्रव्यादिविनाशादिदोषापत्तेः । [गाथा-६/ ટી ].
અર્થ પોતાના ગૃહમંદિરમાં ધરેલાં ચોખા, સોપારી, નૈવેદ્ય આદિના વેચાણથી પ્રાપ્ત થયેલ પુષ્પભોગાદિને પોતાના ગૃહચૈત્યમાં ન વાપરવા, તેમજ ચૈત્ય (સંઘમંદિર)માં પણ પોતે ન ચડાવવા, પરંતુ તેનું સાચું સ્વરૂપ જણાવીને પૂજકાદિ પાસે ચડાવરાવવું. જો એમ બની શકે તેમ ન હોય તો બધાની આગળ “આ ગૃહમંદિરમાં ચડાવેલ ચીજમાંથી પ્રાપ્ત થયેલ પુષ્પભોગાદિ છે. મારા પોતાના દ્રવ્યથી નવા પ્રાપ્ત થયેલ પુષ્પભોગ નથી' વગેરે સ્પષ્ટ રીતે જણાવીને પોતાના હાથે ચડાવવું. નહિ તો લોકોમાં પોતાની વૃથા પ્રશંસા વગેરે થવાનો દોષ લાગે અને ગૃહચૈત્યના નૈવેદ્ય વગેરે માળીને પહેલાથી નક્કી કરેલા પગારની જગ્યાએ ન આપવા. જો પહેલેથી જ નૈવેદ્ય આપવા પૂર્વક માસિક પગાર નક્કી કર્યો હોય તો દોષ નથી. મુખ્યમાર્ગે તો માસિક પગાર જુદો જ આપવો જોઈએ. ગૃહમૈત્યના નૈવેદ્ય ચોખા વગેરે તો દેવગૃહતસંઘદેરાસર)માં મૂકવા જોઈએ, નહિ તો ગૃહચૈત્યના દ્રવ્ય વડે જ ગૃહચૈત્ય પૂજાયેલું બને પરંતુ સ્વદ્રવ્યથી પૂજાયેલું ન બને અને તેથી અનાદર, અવજ્ઞા વગેરે દોષ લાગે છે. પોતાના દેહ, કુટુંબાદિ માટે ઘણો બધો પણ વ્યય કરનારા ગૃહસ્થ માટે આ યોગ્ય નથી. દેવગૃહમાં દેવપૂજાપણસ્વદ્રવ્યથી જયથાશક્તિકરવી જોઈએ. નહિકે પોતાના ગૃહ(મંદિર)માં ચડાવેલાં નૈવેદ્ય વગેરેના વેચાણથી પ્રાપ્ત થયેલા પૈસાથી કે દેવ સંબંધી પુષ્પો વગેરેથી, કેમ કે, એવું કરવામાં પૂર્વે કહેલ દોષ લાગે છે.
તથા દેવગૃહમાં આવેલા નૈવેદ્ય અક્ષત આદિને પોતાની વસ્તુની જેમ બરાબર સાચવવા અને યોગ્ય કિંમત આદિ યુક્તિથી તે વેચવા. પરંતુ જેમ-તેમ મૂકવા નહિ. કારણ કે, ગમે તેમ મૂકવાથી દેવદ્રવ્યવિનાશાદિ