SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા શકાય છે. આથી ભેટશું કરવા દ્વારા અર્પેલું દ્રવ્ય અને ભેંટણા માટે અલગ કાઢેલું દ્રવ્ય આ બેનો ભેદ સ્પષ્ટ સમજી શકાય છે. (૧૦) આ રીતે શાસ્ત્ર અને સુવિહિત પરંપરા તથા સુયુક્તિના બળે અને વ્યવહારિક ઉદાહરણો દ્વારા સ્પષ્ટ રીતે દેવદ્રવ્યાદિ દ્રવ્યોના બે ભેદ પડે છે અને તેથી તે બેની ભેળસેળ કરીને કુતર્કો દ્વારા સુવિહિત પરંપરાને દૂષિત કરવી લેશમાત્ર ઉચિત નથી. = આમ છતાં એક ચોક્કસ વર્ગ દ્વારા બે ભેદને ભૂસી નાંખવા માટે જબરજસ્ત અપપ્રચાર ચાલી રહ્યો છે. તેમના દ્વારા નામી-અનામીજે સાહિત્ય પ્રચારાય છે, તેમાં સેનપ્રશ્નના આધારે ચાલતા કુતર્કોનો એક નમૂનો નીચે મુજબ દેવદ્રવ્યથી જિનપૂજા ૧xx (૪) આચાર્ય વિ.ના પગલાની પૂજા જિનપૂજા માટે લાવેલ ચંદનથી ન થાય. કારણ કે, તે દેવદ્રવ્ય છે. જો સાધારણ દ્રવ્યનું હોય તો થાય. (એનપ્રશ્ન - ૯૭૬) સારાંશઃ (૧) તે કાળે દેવદ્રવ્યથી ચંદન લાવીને પૂજા થતી હતી. (૨) વળી મુખ્યતયા દેવદ્રવ્યથી જ લવાતું હશે, સાધારણમાંથી કોઈક જ લાવતું હશે, તેથી જ જો સાધારણવાળો જવાબ પછી આપ્યો છે. સમાલોચનાઃ (૧) પૂર્વોક્ત વિધાનમાં માત્રને માત્ર કુતર્કો કરવામાં આવ્યા છે. આ કુતર્કો નવા નથી. ૨૦૪૪ના સંમેલનથી ચાલ્યા આવે છે. ૨૦૪૪'ના સંમેલનના ઠરાવોના વિરોધમાં ભરાયેલી મહાસભામાં આનો જવાબ અપાઈ ચૂક્યો છે અને તે વખતના પ્રવચનોનું સંકલન જેમાં કરવામાં આવ્યું છે, તે “સંમેલનની ભીતરમાં” પુસ્તકમાં મૂકવામાં પણ આવેલ છે. તેને અક્ષરશઃ અહીં અમે રજૂ કરીએ છીએ. સેનપ્રશ્નના પાઠનું સ્પષ્ટીકરણ સંકલ્પિત અને સમર્પિતના ભેદને સમજો - પ્રશ્નઃ- કહે છે કે દેવદ્રવ્યમાંથી પૂજા કરી શકાય એવો સેનપ્રશ્નમાં પાઠ મળે છે, તો એવો કોઈ પાઠ છે?
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy