SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ (ર૭૫) એમને ઈચ્છા થઈ આવી. તેથી એમણે પોતાનું રાજ્ય પોતાના ભાઈને સેંપી દીધું અને એકજ સ્થાને એક વર્ષ સુધી અચળ ભાવે ઉભા રહી તપ કરવા લાગ્યા. એના ઉપર વેલા વીંટાઈ વન્યા, કીડીઓ ઉભરાવા લાગી અને સાપ પણ વીંટાઈ વળ્યા. આવા પ્રચંડ તપથી બાહુબલિને એક વર્ષે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ભરતે પિતાનું રાજ્ય બહુ ડહાપણથી ભેગવ્યું. એમના રાજ્યનું મહત્વનું કાર્ય તે એ હતું કે તે વારે આર્યવેત્રની રચના થઈ. એ વેદમાં તીર્થકરેની પૂજા વિષે, સમ્યજ્ઞાન વિષે અને સમ્યફ ચારિત્ર વિષે વર્ણન છે.પ૯ એના અભ્યાસથી વિદ્વાન પુરૂષ આગળ આવ્યા અને તે બ્રાહ્મણ કહેવાયા. એ દ્વીજ પણ કહેવાયા, કારણ કે એ જ્યારે ઉપવિત ધારણ કરતા ત્યારે બીજો જન્મ પામ્યા એમ મનાતું. ભરતે અષ્ટાપદ પર્વત ઉપર તેમજ શત્રુંજય ઉપર કાષભનું દેવાલય બંધાવ્યું. એમના પિતા નિર્વાણ પામ્યા તેની સાથે જ તેમનાં ૯૯ ભાઈ ને ૮ પુત્રે પણ નિર્વાણ પામી ગયા; સંસારમાં એ એકલવાયા થઈ ગયા ને તેથી સંસાર ઉપરથી તેનું મન ઉઠી ગયું. એક સમયે પૂરા ઠાઠથી શણગાર સજીને પિતાના સિંહાસન ઉપર બેઠા હતા, તેવામાં આંગળી ઉપરની વીંટી નીકળી પડી. વીંટી વિનાનું શરીર એમને વરવું (એછી શોભાવાળું ) દેખાયું, શરીરની તુચ્છતા અને અસારતા સમજી ગયા, શરીર અને જીવ વચ્ચેની ભિન્નતા પામી ગયા. આથી એમણે રાજ્ય કર્યું અને ધર્મધ્યાન કરવા લાગ્યા. એમને કેઈએ દીક્ષા આપેલી નહિ, પણ તેઓ શલધ્યાનવડે પિતાના સર્વે કર્મો ખપાવી કેવળજ્ઞાન પામ્યા એટલે ઈન્દ્રની સૂચનાથી એમણે પિતે જ પંચમુષ્ટિ લેચ કર્યો અને ઈન્દ્ર એમને સાધુને વેશ આપે. તેઓ ૮૪૦૦૦૦૦ પૂર્વ વર્ષની ઉમ્મરે અષ્ટાપદ પર્વત ઉપર નિર્વાણ પામ્યા. ભરતને પુત્ર મરિ નામે હતું તે સાધુ થઈ ગયા હતા. તેના પિતામહે ભરતને કહ્યું કે “મરીચિ આ ચાવીશીમાં છેલ્લા તીર્થકર મહાવીરરૂપે જન્મશે.” આ વચન ભારત પાસેથી સાંભળીને મરીચિને અભિ
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy