SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૭૧ ) છે, અને તે પ્રત્યેકના સમયમાં ધીરે ધીરે સ્થિતિ કેમ બગડતી ગઈ તેનુ વિગતવાર વર્ણન નીચે પ્રમાણે આપે છે: ૧ લા કુલકર પ્રતિક્રુતિના સમયમાં ચેતિરંગ કલ્પદ્રુમના પ્રકાશ એટલેા બધા ઘટી ગયે કે પ્રથમ જ વાર સૂચન્દ્રને મનુષ્ય જોઇ શક્યા; ત્યાંસુધી એ કલ્પદ્રુમના જ પ્રકાશ એવા હતા કે મનુષ્ય એને જોઇ શકતા નહિ. ૨ જા મનુ સુમતિના સમયમાં તારા દેખાવા લાગ્યા. ૩ જા મનુ નેમંરના સમયમાં મનુષ્યને તિર્યંચ પજવવા લાગ્યા, મનુએ તેમને દૂર રહેવાની આજ્ઞા કરી. ૪ થા મનુ ક્ષન્ધના સમયમાં તિર્યંચ વધારે હિંસક બનવા લાગ્યા અને તેથી મનુષ્ય પત્થરથી અને લાકડીથી પેાતાનું રક્ષણ કરવા લાગ્યા. પછીના કુલકરાના સમયમાં કલ્પદ્રુમનાં વૃક્ષ એટલાં ઓછાં થઈ ગયાં કે મનુષ્યે તેને માટે લઢવા લાગ્યા. ૫ મા મનુ સૌમંરે તેમના ઉપભાગને માટે તેમને જમીનની પાટીએ પાડી આપી અને ૬ ઠ્ઠી મનુ સીમંધરે એ પાટીએની સીમા નક્કી કરી આપવા માણુ રાખ્યા. ૭ મા મનુ વિમ∞ત્રાવને હાથી, ઘેાડા ઉપર બેસવાનું શીખવાડયું. ૮ મા મનુ ચતુષ્માના સમયમાં જોડકાં માળક જન્મ્યા પછી પણ માબાપ લાંબેા કાળ જીવવા લાગ્યા. ૯ મા મનુ ચરાવાન્ ના, ૧૦ મા અમચન્દ્રના અને ૧૧ મા ચન્દ્રામના સમયમાં મામાપ પાતાના બાળક સાથે જીવે એ સ્થિતિ કાયમની થઈ પડી, અને એ અસાધારણુ સ્થિતિ વિષે કુલકરએ મનુષ્યને સમજાવવા પડ્યા. ૧૨મા કુલકર મહ્લેવના સમયમાં નદી ને પ`તા રચાયા. એ કુલકરે મનુષ્યને પર્યંત ઉપર ચઢતાં અને નદી પાર ઉતરવા વહાણુ માંધતાં શીખવ્યુ, ૧૩ મા મનુ પ્રસેનગિતના સમયમાં મનુષ્ય પ્રથમ વાર આર સાથે અવતરવા લાગ્યા અને એ આર ઉતારવાનું મનુષ્યને મનુએ શીખવ્યું. ૧૪ મા મનુનું નામ નામ એ કારણે કે તેના સમયમાં બાળક નાળ સાથે અવતરવા લાગ્યા, અને એ નાળ વધેરવાનુ મનુષ્યને એ મનુએ શીખવ્યું. એના જ સમયમાં પ્રથમ વરસાદ વરસવા લાગ્યા અને વૃક્ષ તથા વેલા પોતાની મેળે ઉગવા લાગ્યા. હવે કલ્પદ્રુમના ફળથી મનુષ્યના ઉદરનિર્વાહ થઈ શકે
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy