________________
સાતમા વ્રતના અતિચારો
[ ૭૯ ]
જ્યાં વિવિધ પ્રકારના છળ પ્રપંચ જૂઠથી પણ દેખીતા નિર્દોષ વ્યાપાર દ્વારા આજીવિકા ચલાવવામાં આવે છે ત્યાં ઉપર જણાવેલ કર્માદાનના પણ નીતિપૂર્વક, પ્રમાણિકતાથી વિવેકપૂર્વક વ્યાપારો કરવામાં ઓછું પાપ રહેલું છે તે બુદ્ધિમાનોએ પોતે જ વિચારી લેવા જેવું છે.
(સાતમા વ્રતના અતિચારો ૧. સચિત્ત આહાર. ૨. ચિત્ત (સજીવ) સાથે જોડાયેલા અચિત્ત આહાર. ૩. સચિતઅચિત મિશ્રિત આહાર. ૪.અનેક દ્રવ્ય સંયોગથી બનેલા સુરા, સૌવીરાદિ પાન. ૫. સેજસાજ પાકેલા આહાર.
સચિત વસ્તુના ત્યાગ કરનાર ગૃહસ્થને અજાણપણામાં અનુપયોગે ખાવાથી અતિચાર લાગે છે. જાણીને ખાવાથી વ્રત ભંગ થાય છે. આ ભોજન આશ્રયીને પાંચ અતિચાર લાગે છે.
કર્મ આશ્રયીને પંદર અતિચાર લાગે છે. જે પૂર્વે બતાવેલા છે. અહીં એ શંકા થવાનો પ્રસંગ છે કે કર્માદાન પોતે જ પાપરૂપ છે. અર્થાત્ પાપનું નિમિત્ત છે તો તેને અતિચારરૂપે શા માટે ગણવા? - ઉત્તર એ છે કે પોતે જે અર્થ દંડમાં. અર્થાતું, પોતાના નિર્વાહાદિ પ્રયોજન અર્થે જે નિયમ નિયમિત કરેલ છે, તે સિવાયના વ્યાપારો કદાચ વિસ્મૃતિએ-અનુપયોગ થઈ જાય તો તે અતિચાર છે પણ જાણીને તેમ કરે તો વ્રત ભંગ થાય છે.
પંદર અતિચાર આ પ્રમાણે છે. (૧) અંગારાનો વેપાર (૨) વન કાપવાનો (૩) યંત્રો-વાહનો બનાવવાનો (૪) ભાડા કરવાનો (૫) જમીન ફોડવાનો (૬) દાંતનો (૭) લાખનો (૮) રસનો (૯) કેશનો (૧૦) વિષનો (૧૧) યંત્રોથી વસ્તુ પીલવાનો (૧૨) બળદ ઘોડા પ્રમુખને નપુંસક બનાવવા (૧૩) તળાવાદી સુકાવવાનો (૧૪)