________________
-
-
-
-
-
-
-
-
-
-
-
[ ૭૪ ]
ગૃહસ્થ ધર્મ --
૧૧. યંત્રપલણ કર્મ તલ, અળશી, એરંડા, કપાસ વગેરે પીલવાના મંત્રોથી તે વસ્તુ પીલવાનો વ્યાપાર કરવો તે.
૧૨. નિíછન કર્મ બળદ, ઘોડા, પાડાને ખાલી કરવા, નાક વિધવા, કાન કંબલ, શીંગડાં પૂછડાં છેદવા, આંકવા ઊંટની પીઠ ગાળવી, ઇત્યાદિનો વ્યાપાર કરવો તે.
૧૩. દવકર્મ વનમાં, જંગલમાં, ખેતરમાં, દવ લગાડવા તે
દિવકર્મ.
૧૪. શોષણકર્મ કૂવા, તળાવ, સરોવર, નદી ઇત્યાદિ સુકાવી નાખવાં તે.
૧૫. અસતિપોષણકર્મ ધન કમાવા નિમિત્તે દુરાચારી દાસી, સ્ત્રીઓ વગેરેનું પોષણ કરી તે સંબંધી વ્યભિચારનું ભાડું લેવું, તથા પોપટ, મેના, મયુર, બીલાડાં, કુકડાં, શ્વાન, ભૂંડ, ઈત્યાદિનું પોષણ કરવું. પોતાના ખાસ વ્યાપાર કે કમાવા નિમિત્તે પોષણ કરવું તે અસતિપોષણ કહેવાય છે. - આ પંદર વિશેષકર્મ આગમનના માર્ગોનો બનતા પ્રયત્ન શક્તિ અનુસાર દેશકાળ તપાસીને ત્યાગ કરવો.
ધાર્મિક જીવન ગાળનારા ઉત્તમ શ્રાવકોએ આ ઉપર બતાવ્યા પ્રમાણે કર્માદાનના વ્યાપારનો ત્યાગ કરવાનો છે. આ સ્થળે એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે દેશમાં વ્યાપારની હરીફાઈને લઈને બીજા વ્યાપારોના અભાવ જેવું હોય, આજીવિકાની મુશ્કેલી પડતી હોય તે સ્થળે શ્રાવકોએ ઉપરના વ્યાપારોથી પણ આજીવિકા ચલાવીને ચાલુ જમાનાના લોકોની સાથે જીવતા રહેવું અને આગળ વધવું. જે કોમ ચાલુ જમાનાના વ્યાપાર ઉદ્યોગમાં પાછળ પડી નિધન થઈ જાય છે તે કોમનો ધીમે ધીમે નાશ થાય છે અને તેનો ધર્મ પણ તેમની કોમની સાથે જ મરણ પામે છે.