________________
ઉપભોગ
[ ૭૫ ] પાચન થાય ! ભોજન પચાવવા માટે જરૂરી ઓકિસજનનું પ્રમાણ : સૂર્યની હાજરીમાં મળે છે. રાત્રે હોજરીનું કમળ બીડાઈ જાય છે. જે સૂર્યોદય થયા બાદ ખીલે છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ રાત્રિભોજન કુપથ્ય જ છે!
. • “હીલીંગ બાય વોટર” પુસ્તકના લેખક ટી. હાર્ટલી હેનેસીએ સૂર્યાસ્ત પહેલાં ભોજન કરી લેવાની દ્રઢ હિમાયત કરી છે.
૦ પ્રો. એલબર્ટ જે. એલોજ, એમ.ડી. જણાવે છે કે શ્રમ કરવાવાળી વ્યક્તિને સારું અને પોષક ભોજન દિવસમાં ત્રણવાર તે પણ સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલા લેવું સારું છે.
( ઉપભોગ
ઘરની આજુબાજુના ભાગો તથા આગળ પાછળના ભાગોને સ્વચ્છ રાખવા. ઘરની અંદર સુઘડતાથી સાફસૂફ રાખવું. મેલાં અને ગંદા પાણી કે કચરો ઘર આગળ એકઠો થવા ન દેવો કારણ કે તેથી તે સ્થાનની હવા બગડી જાય છે અને રોગની ઉત્પત્તિ થાય છે. બહારની માફક ઘરની અંદર પણ બેસતાં ઉઠતાં મન આલ્હાદ પામે તેવી સ્વચ્છતા રાખવી.
વસ્ત્રો ઘણાં સાદા પણ સ્વચ્છ, ઉજ્જવળ રાખવા. ગંદા વસ્ત્રો અને શરીર ઉપરના મેલથી શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. અતિશય ઉભટ વસ્ત્રાલંકાર ન પહેરર્વા, તેમ પોતાની સંપત્તિથી હલકી જાતનાં ફાટેલ તૂટેલ વસ્ત્રાદિ પણ ન પહેરવાં.
પહેરવા ઓઢવાનાં વસ્ત્રો, તથા સુવા પાથરવાના ઉપકરણો સાફસુફ રાખવાં. તેમાં જીવજંતુઓ ભરાઈ રહી એકઠા ન થાય તે માટે દિવસમાં એકાદ બે વાર તપાસી જવાં. આગળથી તે વસ્ત્રાદિની સંભાળ રાખવામાં નથી આવતી તો તેમાં જૂ, માંકડ વગેરે જંતુઓ