________________
[ ૭૪ ], LYLL_____________
ગૃહસ્થ ધર્મ
_ જે આત્મા રાત્રિભોજન કરતો નથી અને ચોમાસામાં ખાસ રાત્રિભોજનનો ત્યાગ કરે તે આ ભવ અને પરભવમાં સર્વ મનોરથોને પામે છે. –સ્કન્દપુરાણ-સ્કંધ –૭ અ. ૧૧ શ્લો. ર૩૫.
જે માનવ હંમેશા રોજ એકવાર ભોજન કરે છે તે અગ્નિહોત્રના ફળને પામે છે. અને જે માનવ હંમેશા સૂર્યાસ્ત પૂર્વે જ. ભોજન કરે તેને તીર્થયાત્રાનું ફળ ઘરે બેઠા પણ થાય છે. - ઋષીશ્વરભારત–વૈદિકદર્શન.
ચાતુર્માસમાં પણ જે રાત્રિભોજન કરે છે તેના પાપની શુદ્ધિ સોંકડો ચાન્દ્રાયણતપથી પણ થતી નથી!– મહાભારત. | હે યુધિષ્ઠિર ! એક માણસ સોનાના મેરુ પર્વતનું કે આખી પૃથ્વીનું દાન કરે અને બીજો માણસ એક પ્રાણીને જીવન (અભયદાન) આપે એ બંનેની કદી સરખામણી કરી શકાતી નથી. બલ્ક અભયદાન વધી જાય છે.
રાત્રિભોજક – આરોગ્યની દ્રષ્ટિએ – (રાત્રિભોજન - અનેક રોગનું મૂળ)
શરીર સ્વાથ્યની દ્રષ્ટિએ પણ સૂર્યાસ્ત પછી ભોજનનો ત્યાગ કરવો જરૂરી છે. એક મેજૂર પણ આખો દિવસ મજૂરી કરી રાત્રે આરામ કરે છે. તેવી રીતે દિવસમાં બે વાર, ત્રણ વાર કે ચાર વાર ભોજન કર્યા પછી પેટને આરામ આપવો જરૂરી છે. રાત્રે ભોજન કરનારા અનેક રોગનો ભોગ બને છે. રાત્રે પાચનતંત્ર મંદ પડી જાય છે, તેથી પેટ બગડે અને પેટના બગડવાથી આંખ, કાન, નાક, મગજ, દાંત, અજીર્ણ, શરીરનું તૂટવું, ખરાબ ઓડકાર, ઝાડા, અરૂચિ વગેરે અનેક પીડાઓ ઉભી થાય છે. રાત્રિભોજન બિમારીનું ઉદ્ગમસ્થાન છે. ડોકટર-વૈદ્યોનું સ્પષ્ટ ફરમાન છે કે રાત્રે સૂતાં પહેલાં ૩-૪ કલાક પૂર્વે જ ખોરાક ખાઈ લેવો જોઈએ. જેથી એ ખોરાકનું સાચી રીતે