________________
[ ૭૩ ]
રાત્રિ ભોજન
જતી હોવાથી રાત્રિભોજન ન કરવું. યોગ ૩/૬૦.
જે ભોજનમાં જીવોનો મોટો સંહાર છે તેવું રાત્રિભોજન કરનાર મૂઢ જીવોને રાક્ષસોથી જુદા કઈ રીતે પાડી શકાય ? (અર્થાત્ રાત્રિભોજન એ રાક્ષસોનું ભોજન છે. જે માણસ રાત્રિભોજન કરે છે તેને નરરાક્ષસ કહેવો રહ્યો !) યોગશાસ્ત્ર ૩/૬૧.
દિવસ વિધમાન હોવા છતાં જેઓ કલ્યાણની ઇચ્છાથી રાત્રે ભોજન કરે છે. તેઓ પાણીના તળાવ (રસાળ ભૂમિ) ને છોડી ઉખર ભૂમિમાં ડાંગર વાવવા જેવું (અર્થાત્ મૂર્ખાઈ ભર્યું કામ) કરે છે. – યોગશાસ્ત્ર ૩/૬૬.
જે ભવ્યાત્મા હંમેશ માટે રાત્રિભોજનનો ત્યાગ કરે છે તે ખરેખર ધન્ય છે. રાત્રિભોજનના ત્યાગીને અડધી જિંદગીના ઉપવાસનું ફળ મળે છે. યોગ ૩/૬૯.
રાત્રિભોજન... જૈનેતર ગ્રંથોના આધારે.....
રાત્રિભોજન એટલે નરકનો નેશનલ હાઈવે નં. ૧ – પદ્મપુરાણ—પ્રભાસખંડ.
સૂર્ય આથમી ગયા પછી પાણી પીવું એ લોહી પીવા બરાબર અને ભોજન કરવું એ માંસ ખાવા બરાબર છે એમ માર્કંડેયઋષિ જણાવે છે.
હે યુધિષ્ઠર ! ખાસ કરીને તપસ્વીઓએ તથા વિવેકી ગૃહસ્થોએ રાત્રે પાણી પણ ન પીવું જોઈએ. (જો પાણીનો નિષેધ હોય તો ભોજનનો નિષેધ તો વિશેષ હોય જ !)
હે સૂર્ય ! તારાથી આ સઘળું જગત વ્યાપ્ત છે, અને ત્રણે જગતને તું ધ્યાન કરવા યોગ્ય છે. માટે હે દેવ ! તારા અસ્ત થયા પછી લોહી બરાબર ગણાય છે ! (અર્થાત્ રાત્રે પાણી પણ વાપરવું નહિ એવું સ્પષ્ટ થઈ જાય છે.) યોગવાશિષ્ઠ પૂર્વાર્ઘ શ્લો. ૧૦૮.