________________
અનંતકાયાદિ - રાત્રિ ભોજન
[ ૬૯ ] ખરેખર આ મધ તે માખીઓએ ઊલટી કરેલી તેની લાળ હોવાથી મહાન જુગુપ્સા ઉત્પન થાય તેવું જ છે.
(અનંતાયાદિ કૃમિઓના સમૂહથી ભરપુર ઉંબરાના વડના, પીંપરના, કાલુંબર અને પીપળાના ટેટાઓ ખાવા યોગ્ય નથી. તથા લીલા કંદ, ઉગતાં કુપળીયાં, અજાણ્યાં ફળ, કાચા, ગરમ નહિ કરેલા, છાશ સાથે દ્વિદળ-કઠોળ, જેની બે ફાડો સરખી થાય છે તે તેલ વિનાના પદાર્થો) જેનો રસ તથા ગંધ બદલાઈ ગયો હોય તે ચલીતરસવાળા ફળો, કોહાઈ ગયેલું વાસી અનાજ, બે દિવસ ઉપરાંતનું દહીં, અને રાત્રિ ભોજન ઇત્યાદિનો ત્યાગ કરવો.
(રાત્રી ભોજન ) રાત્રે અંધકારથી નેત્રની પ્રકાશ શક્તિ રુંધાઈ જાય છે. દિવાનો પ્રકાશ હોવા છતાં પણ ઝીણા જંતુઓ જોઈ શકાતા નથી અને તે ભોજનમાં પડવાથી તે જંતુઓનો નાશ થાય છે સાથે તેવા જંતુઓ પેટમાં જવાથી અનેક રોગો ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે ઘી પ્રમુખમાં ચડી ગયેલ કડી ખાવામાં આવતાં બુદ્ધિનો નાશ થાય છે. માખી વમન કરાવે છે. કરોળિયાની લાળથી કોઢ થાય છે. વાળથી સ્વરનો ભંગ થાય છે. દિવસનો મોટો ભાગ આપણે સ્વાધિન હોવાથી રાત્રે ભોજન કરવું મનુષ્યોને ઉચિત નથી દિવસે ભોજન કરવાથી જંતુઓના બચાવ સાથે પોતાના શરીરનું રક્ષણ થાય છે.
આ પ્રમાણે ભોગ એકવાર ઉપયોગમાં આવતા શરીરના પોષક પદાર્થોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો એ બુદ્ધિમાનોને હિતકારી છે. - આજે રાત્રિ ભોજન એટલું સામાન્ય (Common) બની ગયું