________________
[ ૬૨ 1_
ગૃહસ્થ ધર્મ થતાં નાનાં મામો એકઠા કરી મોટું એક બનાવવું. નાના દેશને મોટો બનાવવો, નાના ખેતરને વાડાદિ કાઢી નાંખી મોટાં મોટાં બનાવવાં, નાના ઘરો સાથે બીજાં ભેળવી મોટાં ઘરો બનાવવાં એ અતિચાર એટલે વ્રતમાં દૂષણ છે.
(૩) રૂપા તથા સોનાનું જે પ્રમાણ રાખ્યું હોય તેનાથી અધિક વધારો થાય ત્યારે લોભને વશ થઈ તે દ્રવ્ય સ્ત્રી, પુત્રાદિકને આપે, તે ત્રીજો રૂપ્ય સુવર્ણ અતિક્રમણરૂપ અતિચાર છે. - (૪) કુષ્ય તે સોના તથા રૂપા વિના બાકીની શેષ તાંબા પિત્તળ આદિ ધાતુ, તેના વાસણો, કાષ્ઠનાં હળ, ગાડાં, વહાણાદિ, પલંગ, કબાટાદિ અનેક પ્રકારનાં ઘર વખરીનાં ઉપકરણો તેની જે સંખ્યા પહેલાં રાખી હોય તે સંખ્યા કાયમ રાખવા માટે નાનામાંથી મોટાં બનાવે, પાતળામાંથી જાડા બનાવે તે કુખ્ય પરિમાણ અતિક્રમણ અતિચાર છે.
| (૫) ચતુષ્પદ પ્રમાણાતિક્રમણ અતિચાર સ્ત્રી, દાસ, દાસી, નોકર, પ્રમુખ, મનુષ્યો, પક્ષીઓ અને હાથી, ઘોડા, ગાય, ભેંસ, ઈત્યાદિ પશુઓનું જે પ્રમાણ કરેલું હોય તેમાં નાનાં વાછરડાં, બચ્ચાં, બાળકાદિ ગણતરીમાં ન ગણે અને સંખ્યાનું અતિક્રમણ કરે તે પાંચમો અતિચાર છે.
આ અતિચારોથી વ્રતને મલીન ન થવા દેવા માટે દિવસમાં સવારે તથા સાંજે બે વખત વ્રતોને તપાસી જવાં અને થયેલી ભૂલોને સુધારવા માટે સાવચેતી રાખવી.
(દિશા પરિમાણ છઠ્ઠ વ્રત) भुवण क्यागण समथ्थे लोभ समुद्दे विसप्प माणांसि । कुणइ दिसा परिमाणं सुसावओ सेउबंधव ।। १ ।। .