________________
[ ૪૯ ]
–
–
–
–
–
–
–
–
ત્રીજું વ્રત અદત્તાદાન વિસ્મરણ – – – – – – – – – – છે. સગાં સંબંધીજનો પણ ચોરી કરનારનો વિશ્વાસ કરતા નથી. ચોરી કરનાર પોતે તે ધનનો ઉપયોગ કરે કે ન કરે પણ દુઃખમાં સપડાવાનો તેને ચોક્કસ સંભવ રહે છે. વૈર વિરોધ વધારે થાય છે અને દેહાંત સુધીની પણ શિક્ષા આ ભવમાં કોઈ કોઈ અનુભવે છે.
ચોરી કરનારના ગુણ ગૌણતાને પામે છે. વિદ્યા, વિડંબના પમાડનારી થાય છે. અપકીર્તિ તેના માથા પર પગ દઈને ઊભી રહે છે. શિકારીના હાથમાં સપડાવવાની શંકાવાળા મૃગની માફક ચોરનું મન જનસમૂહમાં કે જંગલમાં શાંત કે સ્વસ્થ હોતું નથી. આત્મરક્ષા, દાક્ષિણ્યતા, પરોપકાર, ધર્મનું કે ઉત્તમ શિક્ષણનું ગ્રહણ કરવાપણું ચોર વગેરે સ્વપ્નમાં પણ જાણી કે કરી શકતો નથી. ચોરીરૂપ પાપવૃક્ષનાં ફળ આ ભવમાં વધ, બંધન, કારાગૃહ નિવાસ, આબરૂનો નાશ, અવિશ્વાસ, લોકનિંદા વગેરે અહીં જ પ્રત્યક્ષ દેખાય છે. અન્ય જન્મમાં નરકાદિકની અસહ્ય વેદના ભોગવવી પડે છે. તથા ધનક્ષય, દુર્ભાગ્ય, દાસત્વ, અંગચ્છેદ, દારિદ્ર, નિંદા, ધિક્કાર અને વારંવાર મૃત્યુ ઈત્યાદિ અન્ય જન્મમાં પણ દુઃખોનો અનુભવ કરવો પડે છે કારણ કે અન્યને રડાવ્યાં છે, દુઃખી કર્યા છે. નિરાશ કર્યા છે. ભીખ મંગાવી છે તો તેને પણ આ વાવેલા પાપ વૃક્ષનાં ફળ તરીકે રડવાનું, દુઃખી થવાનું, નિરાશ થવાનું અને ભિક્ષા માંગવાનું પ્રાપ્ત થવું જ જોઈએ.
આ ત્રીજા વ્રતનું ફળ સર્વનો વિશ્વાસ, સાધુવાદ (શાબાસી અગર પ્રસંશા) સમૃદ્ધિની વૃદ્ધિ, સ્થિરતા, ઐશ્વર્ય અને સ્વર્ગાદિની પ્રાપ્તિ. ઇત્યાદિ પ્રાપ્ત થાય છે.
ત્રિીજું વ્રત) ગૃહસ્થોએ ત્રીજા વ્રતમાં સજીવ નિર્જીવ. નાની મોટી ચોરીનો ત્યાગ કરવો, જંગલનું માલિકી વિનાનું ઘાસ, કૂવા, તળાવ, નદી