________________
8Sજ્ય ૧
_._________
[ ૪૬ ] ગયો છે? સાક્ષી કોણ છે? લેખિત ક્યાં છે? વિગેરે જવાબો આપી થાપણ પાછી ન આપવી તે થાપણ ઓળવી કહેવાય છે. થાપણ મૂકનાર મરી ગયો હોય અને તેના વારસદારો લેવા આવે અને પાછી ન આપવી તે પણ થાપણ ઓળવી કહેવાય છે. વારસદાર ન હોય તો પંચની સાક્ષીએ સારે માર્ગે ખર્ચી દેવી પણ તે થાપણ હરામનું દ્રવ્ય ઘરમાં ન જ રાખવું અને વારસદાર હોય તો તેને સોંપવું. આ પાંચ મોટાં અસત્યનો ત્યાગ કરવો અને બીજાં પણ નાનાં નાનાં અસત્યનો યથાશક્તિ ત્યાગ કરવો. આ ગૃહસ્થોનું બીજું વ્રત છે. જે બોલવાથી અન્યને કલેશ થાય કે અન્યનો ઘાત થાય તેનો ત્યાગ કરવો તે આ વ્રત લેવાનો હેતુ છે. આ વ્રતથી લોકોનો વિશ્વાસ, યશની પ્રાપ્તિ, સર્વ અર્થની સિદ્ધિ, લોકપ્રિયતા, ગ્રાહ્ય વચન અને અમોઘ વચન-વચન સિદ્ધિ વિગેરેથી આ લોકમાં ફાયદાઓ થાય છે. ધર્મની પ્રાપ્તિ થવા સાથે આગામી જન્મ સુખરૂપ થાય છે. પાપનો નાશ, આવતા કર્મનો નિરોધ, પુણ્યની વૃદ્ધિ અને કર્મનિર્જરા ઈત્યાદિ અનેક ફળ આ વ્રતનાં છે.
( બીજું વ્રત ૨.) કન્યા સંબંધી, ગાય સંબંધી, જમીન સંબંધી, જૂઠું ન બોલવું. જૂઠી સાક્ષી ન ભરવી, થાપણ ઓળવવી નહિ, આ ગૃહસ્થ ધર્મનું બીજું વ્રત છે. ૨.
આ પાંચ અતિચાર લાગવા સંભવ છે તે માટે સાવચેતી રાખી ન લાગવા દેવા. વિશેષ હકીકત પહેલાં વ્રતના અતિચાર સાથે કહેવામાં આવી છે. ત્યાંથી સર્વ વ્રત માટે જાણી લેવી.
પાંચ અતિચાર
૧. સહસાત્કારે. વગર વિચાર્યું કોઈને આળ આપવું કેમ કે