SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ 8Sજ્ય ૧ _._________ [ ૪૬ ] ગયો છે? સાક્ષી કોણ છે? લેખિત ક્યાં છે? વિગેરે જવાબો આપી થાપણ પાછી ન આપવી તે થાપણ ઓળવી કહેવાય છે. થાપણ મૂકનાર મરી ગયો હોય અને તેના વારસદારો લેવા આવે અને પાછી ન આપવી તે પણ થાપણ ઓળવી કહેવાય છે. વારસદાર ન હોય તો પંચની સાક્ષીએ સારે માર્ગે ખર્ચી દેવી પણ તે થાપણ હરામનું દ્રવ્ય ઘરમાં ન જ રાખવું અને વારસદાર હોય તો તેને સોંપવું. આ પાંચ મોટાં અસત્યનો ત્યાગ કરવો અને બીજાં પણ નાનાં નાનાં અસત્યનો યથાશક્તિ ત્યાગ કરવો. આ ગૃહસ્થોનું બીજું વ્રત છે. જે બોલવાથી અન્યને કલેશ થાય કે અન્યનો ઘાત થાય તેનો ત્યાગ કરવો તે આ વ્રત લેવાનો હેતુ છે. આ વ્રતથી લોકોનો વિશ્વાસ, યશની પ્રાપ્તિ, સર્વ અર્થની સિદ્ધિ, લોકપ્રિયતા, ગ્રાહ્ય વચન અને અમોઘ વચન-વચન સિદ્ધિ વિગેરેથી આ લોકમાં ફાયદાઓ થાય છે. ધર્મની પ્રાપ્તિ થવા સાથે આગામી જન્મ સુખરૂપ થાય છે. પાપનો નાશ, આવતા કર્મનો નિરોધ, પુણ્યની વૃદ્ધિ અને કર્મનિર્જરા ઈત્યાદિ અનેક ફળ આ વ્રતનાં છે. ( બીજું વ્રત ૨.) કન્યા સંબંધી, ગાય સંબંધી, જમીન સંબંધી, જૂઠું ન બોલવું. જૂઠી સાક્ષી ન ભરવી, થાપણ ઓળવવી નહિ, આ ગૃહસ્થ ધર્મનું બીજું વ્રત છે. ૨. આ પાંચ અતિચાર લાગવા સંભવ છે તે માટે સાવચેતી રાખી ન લાગવા દેવા. વિશેષ હકીકત પહેલાં વ્રતના અતિચાર સાથે કહેવામાં આવી છે. ત્યાંથી સર્વ વ્રત માટે જાણી લેવી. પાંચ અતિચાર ૧. સહસાત્કારે. વગર વિચાર્યું કોઈને આળ આપવું કેમ કે
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy