________________
પ્રથમ સ્થૂલ અહિંસા વ્રતની જરૂરિયાત
[ ૩૯ ] ૧) ગૃહસ્થો સાપેક્ષપણે-સશંકપણે ત્રસજીવોનો બચાવ ન કરી શકે.
૧૦) ગૃહસ્થો ત્રસ જીવોનો બચાવ કરી શકે છે. ૫) ગૃહસ્થો નિરપરાધી ત્રસજીવોનો બચાવ કરી શકે. રા) ગૃહસ્થો અનારંભપણામાં ત્રસજીવોનો બચાવ કરી શકે. ૧) ગૃહસ્થો નિરપેક્ષપણે ત્રસજીવોનો બચાવ કરી શકે.
આ અહિંસાનો ભાવાર્થ આ પ્રમાણે છે. (અહીં બતાવેલા જીવો સંબંધી ખુલાસો નવતત્ત્વ સંબંધી પહેલાં જીવતત્ત્વમાંથી જાણવો.) સ્થાવર જીવોનો બચાવ ગૃહસ્થો ન કરી શકે, કારણ કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આ પાંચ સ્થાવર છે તે સિવાય ખાવાપીવાદિનાં સાધનો મેળવી શકાતાં નથી. તેમ ખાધાપીધા સિવાય ચાલે પણ નહિ. એટલે ત્રસ અને સ્થાવર બન્નેનો બચાવ કરવો તે વિશ ભાગની અહિંસા છે, તેમાંથી આ દશ ભાગ ગયા. કારણ કે જીવોના બે વિભાગમાંથી એકનો બચાવ મનુષ્યો ન કરી શકે. વ્યસનો બચાવ કરે. ત્રસ એટલે હાલ-ચાલે તેવા જીવો. તેથી દશ ભાગ બચાવ કરવાનું રહ્યું છે. ૧૦.
આ ત્રસ જીવોમાંથી અપરાધીનો બચાવ ગૃહસ્થોથી થઈ ન શકે, જો તેમ કરે તો વ્યવહારની હયાતી જ ન રહે. ગૃહસ્થાશ્રમ જ નાશ પામે. અપરાધીને બદલો ન આપે તો, રાજા હોય તો રાજાનું રાજ્ય ચાલ્યું જાય, ગૃહસ્થ-સામાન્ય મનુષ્ય હોય તો કોઈ ઘર લૂંટી જાય, સ્ત્રી લઈ જાય, કારણ કે તે અપરાધીને બદલો આપતો નથી. તેથી જે બળિયો થઈને આવે છે તેનું લૂંટી જાય. આમ થાય તો ગૃહસ્થધર્મનો જ નાશ થાય. આ માટે એટલો બચાવ કરવો કે નિરપરાધી જીવોને ન મારવા, અપરાધી હોય તો તેને શિક્ષા કરવાની છૂટ છે. આ શિક્ષા અપરાધના પ્રમાણમાં દેહાંત સુધી થાય ત્યાં સુધી