________________
[ ૪૦ ]
ગૃહસ્થ ધર્મ તેના ગૃહસ્થધર્મનો નાશ થતો નથી. એટલે દશ ભાગમાંથી પાંચ ભાગનો બચાવ તેનાથી થઈ શકે તે. .
નિરપરાધી જીવોનો બચાવ કરી શકે તેમાં પણ જે ખેતર ખેડવાં, ઘર બનાવવાં, કિલ્લા પ્રમુખ બંધાવવા, કૂવા ખોદવા, ખાણો ખોદાવવી ઈત્યાદિ અનેક આરંભના કામમાં કોઈ નિરપરાધી ત્રસ જીવો મરી જાય તો તેનો બચાવ ગૃહસ્થથી થઈ ન શકે કેમ કે તે આરંભના કાર્ય ન કરે તો તેનો વ્યવહાર અટકી પડે. માટે આરંભમાં જીવો મરી જાય તેની આ વ્રતમાં છુટી રહે છે. એટલે પાંચ ભાગની અહિંસામાંથી તેનાથી અઢી ભાગની અહિંસા પળી શકે છે. રા.
આરંભ સિવાયના જીવોનો બચાવ ગૃહસ્થ કરી શકે તેમાં પણ કોઈના ઉપર ચોર, જાર કે વેરી-શત્રુ વગેરેની શંકાથી તે જીવ તેવો નહિ છતાં તેવા કામ તેણે કોઈ વખત કર્યા હોય તેવા કારણથી તેના ઉપર શંકા થાય કે આ કામ તેણે કર્યું હશે અને તે કારણથી તેને શિક્ષા કરવી પડે અથવા બળદ, ઘોડા કે પાડા પ્રમુખને ગાડે કે રથે જોડવામાં આવે કે ભણવા પ્રમુખમાં પ્રમાદ કરનાર પુત્રાદિકને નિરપરાધી છતાં સાપેક્ષપણે (અપેક્ષાએ) મારફાડ કે બંધનાદિ કરવા પડે તો તેના ગૃહસ્થ ધર્મના વ્રતમાં બાધ આવતો નથી. આ કારણે અઢી ભાગમાંથી પણ સાપેક્ષપણે શિક્ષા કરવાનું ખુલ્લું રહેવાથી સવા ભાગની અહિંસા ગૃહસ્થથી બની શકે. એટલે નિરપરાધી, આરંભ વિના,
સજીવોને નિરપેક્ષપણી સંકલ્પને (ારવાની બુદ્ધિથી) મારવા નહિ. “મારવાની બુદ્ધિથી” એ કહેવાનો હેતુ એ છે કે રસ્તે ચાલતાં શરીરની અસ્થિરતાને લઈ તપાસીને ચાલવા છતાં પણ કોઈ જીવ મરી જાય તો તેથી વ્રત ખંડિત થતું નથી.