________________
[ ૧૮ ].
ગૃહસ્થ ધર્મ
ત્યાવશ્યક
ત્યાર પછી આવશ્યક કરવું, અવશ્ય કરવા યોગ્ય કર્મને આવશ્યક કહે છે. ચાલુ રૂઢિમાં લોકો પ્રતિક્રમણ કહે છે. પણ ખરી રીતે તો પ્રતિક્રમણ એ ચોથો આવશ્યક છે. આવશ્યકના છ ભાગ છે તે માંહીલા ચોથા ભાગને પ્રતિક્રમણ કહે છે. પ્રતિક્રમણ એટલે પાછું હઠવું, કોનાથી પાછું હઠવું? લીધેલ વ્રતો અને ગૃહસ્થને લાયક પાળવા યોગ્ય નિયમો પ્રમાણ વર્તન ન થયું હોય, લીધેલ વ્રતો કે નિયમોની હદ ઓળંગી આગળ નીકળી ગયો હોય તેણે તે ભૂલોને સુધારી પાછું નિયમિત મર્યાદામાં આવવું. લાગેલા અતિચારો કે દોષ તેની તપાસ કરી તેનાથી પાછા હઠવું તેને પ્રતિક્રમણ કહે છે. પ્રતિક્રમણ કરવાની જરૂરિયાત પણ એટલા માટે જ છે.
દરિયામાં ચાલુ વહાણને છિદ્ર પડ્યું હોય તેને જો તરત જ સુધારવામાં ન આવે, તે છિદ્ર તપાસ કરીને પૂરી દેવામાં ન આવે તો તે વહાણમાં પાણી ભરાઈ જઈ ડૂબી જવાનો સંભવ રહે છે. આ જ પ્રમાણે વ્રત-નિયમોરૂપી વહાણમાં કોઈ પણ જગ્યાએ દોષો લાગવા રૂપ છિદ્ર પડયું છે કે નહિ તેની સવાર સાંજ બે વખત તપાસ કરવી અને લાગેલા દોષરૂપ છિદ્રને ફરી ન કરવા રૂપ કે પ્રાયશ્ચિત્ત લેવા રૂપ ક્રિયાઓ દ્વારા તેને તત્કાળ પૂરી દેવું. બંધ કરી દેવું. જેથી વ્રતરૂપ વહાણ કાયમ ટકી રહે છે નહિતર સંસાર સમુદ્રમાં આશ્રવરૂપ પાણી ભરાઈને દરેક રીતે ડુબી જવાનું. અર્થાત્ વ્રતનો નાશ થવાનો સંભવ રહે છે. દિવસમાં બે વખત આ પ્રતિક્રમણ કરવાનો હેતુ એ છે કે, ઘણું નાનું પડેલું છિદ્ર તત્કાળ ખબર પડવાથી તે સહેલાઈથી પૂરી શકાય છે. પણ જ્યારે છિદ્ર ઘણું મોટું અને લાંબા વખતનું પહેલું હોય છે ત્યારે તરત જ બંધ કરી દેવું મુશ્કેલીવાળું થઈ પડે છે, તેમ એક