________________
આવશ્યક
[ ૧૯ ] ભૂલ જે નિરંતર થયા કરે છે, તેની ખબર લેવામાં આવતી નથી, પણ તે નિરંતરની એક ટેવરૂપ થઈ જાય છે ત્યારે ઊંડી જડ ઘાલીને પડેલાં મૂળને દૂર કરવું જેટલું મુશ્કેલ થાય છે તેટલી જ મુશ્કેલી લાંબા વખતના દોષને દૂર કરવા માટે થાય છે, માટે કોઈ પણ દોષ લાંબા વખતે ટેવરૂપ થઈ ન જાય તે પહેલાં તેનો પ્રતિકાર કરવો, કે જે સહેલાઈથી અસરકારક થઈ નાબૂદ થઈ જાય.
આવશ્યકના છ ભાગમાં પ્રથમ સામયિક આવે છે એટલે બે ઘડી સુધી સમભાવમાં રહેવા માટે પ્રતિજ્ઞા કરવામાં આવે છે. અથવા તે આવશ્યક ક્રિયા જેટલા વખતમાં થઈ રહે તેટલા વખત માટે રાગદ્વેષ વિનાની સમભાવવાળી સ્થિતિમાં રહેવાની પ્રતિજ્ઞા કરાય છે. मोछामा ओछो मे घडी पेटलो वजत धर्मध्यानमा रोवो मा हेतुथी घडी मेवो सामान्य नियम छे. छतां तेथी वधारे पाश वजत रोठवाभां अऽयाश नथी, मने प्रसंगे तेथी मोछो वजत रोडी पाश शाय छे. छतां नियमित રિવાજ બે ઘડીનો છે.
આ સામાયિકમાં પાપવાળા વ્યાપારનો ત્યાગ કરવામાં આવે છે. મનથી, વચનથી અને શરીરથી એનો ઉદ્દેશ બરોબર સચવાય છે કે કેમ? તે બાબતનું બરોબર ધ્યાન તે વખતમાં રાખવું જોઇએ. જ્યારે પાપના વ્યાપારનો ત્યાગ થાય છે ત્યારે મન શાંત થાય છે. હૃદયમાં શાંતિની ઉર્મિઓ ઉઠે છે. વિવિધ વિચારજાળના બોજાથી મન હલકું થાય છે. જો એમ ન થતું હોય અને રાગદ્વેષનાં મોજાંઓ ઉછળતાં હોય તો સમભાવની પ્રતિજ્ઞાનો લોપ થાય છે એમ ધારી વિશેષ સાવચેતી રાખવી, અથવા શરૂઆતમાં બે ઘડીથી પણ ઓછા વખતનો નિયમ લઈ તેવા અભ્યાસ માટે પ્રયત્ન ચાલુ રાખવો અને મનને નિર્દોષ વિચારોમાં જોડી દેવું કે જેથી રાગદ્વેષની વિષમતા ઉત્પન્ન થવાનો