________________
ઉત્તમ પ્રકારનો જાપ
[ ૯ ] दिशा तरभुज राजी स्थिर थित्ते परमात्मानुं स्मराश उर.
અહીં કોઈ શંકા કરે કે શરીર પવિત્ર ન હોય, વસ્ત્ર શુદ્ધ ન હોય અને મુકામ અલગ ન હોય તો શું પરમાત્માનું સ્મરણ ન કરવું?
આનો ઉત્તર એ છે કે બધી સગવડ હોય તો તેમ જ કરવું, પણ તેવી સગવડ ન હોય તો પછી ગમે તેવી રીતે પણ પરમાત્માનું સ્મરણ તો અવશ્ય કરવું જ જોઈએ, લુગડાં સારાં ઊંચા ન હોય તો પછી હલકાં પણ પહેરવાં જ જોઈએ. સારું ખાવાનું ન મળે તો પછી સાદું ભોજન પણ કરવું. ભૂખ્યા તો નજ મરવું જોઇએ. આજ ન્યાયે તેવી સગવડ ન હોય તો પછી ગમે તેમ પણ સ્મરણ તો કરવું જ. શાસ્ત્રમાં કહ્યું પણ છે કે,
अपवित्रः पवित्रोवा सुस्थितो दुःस्थितोऽपिवा
ध्यायन्यंचनमस्कारं सर्वः : पापैः प्रमुच्यते. १ (ઉપર કહેલ સાધનની સગવડતા ન હોય તો) અપવિત્ર હોય કે પવિત્ર હોય. નિરોગી હોય કે રોગી હોય, પંચનમસ્કારનું ધ્યાન કરતાં સર્વ પાપથી મુક્ત થવાય છે. કોંધ: વિશેષ એ છે અપવિત્ર વસ્ત્રો કે શરીરવાળાએ તે જાપ હોઠ ન ચાલે તેમ મનમાં કરવો.
ઉત્તમ પ્રકારનો જાપ
જાપ ત્રણ પ્રકારે થાય છે : ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. પાની વિધિ વડે જાપ કરવો તે ઉત્કૃષ્ટ-ઉત્તમ જાપ કહેવાય છે. કેમ કે તેમાં ચિત્તની એકાગ્રતા થાય છે. મન ઠરે છે. હલકા વિચારો આવી શકતા નથી. તેથી તેનો લાભ પણ વધારે મળે છે.
તે જાપ આ પ્રમાણે કરાય છે. તમારા હૃદયમાં એક આઠ પાંખડીનું કમળ ચિંતવો અને તેની અંદરના ભાગમાં બરાબર સિદ્ધચક્ર આવેલાં છે તેમાં નવપદોને સ્થાપન કરો એટલે વચમાં અરિહંત, ઉપર