________________
[ ૮ ]
ગૃહસ્થ ધર્મ મન થઈ આવશે. તમારા ખરાબ કર્તવ્યનો પશ્ચાત્તાપ થશે અને નિર્દોષ જીવન ગાળવાની ઇચ્છા થશે. તે મહાત્મા પુરુષ ભલે તમને કાંઇ પણ ન કહે, છતાં તમારું હૃદય ધર્મની લાગણીવાળું થશે. આમ થવાનું કારણ તમે શોધશો તો તમને જણાશે કે પવિત્ર વિચારોથી ત્યાંનું સ્થળ અને વાતાવરણ શુદ્ધ-પવિત્ર બનેલું છે.
આ જ રીતે તમે કોઇ તીર્થસ્થાનમાં કે પ્રાર્થના કરવાના દેવમંદિરમાં જશો તો ત્યાં પણ તમારું મન સંસાર વ્યવહારના વિચારો બંધ કરી, પરમાત્માના સ્મરણમાં કે કોઈ તેવા જ ભક્તિના માર્ગમાં જ પ્રવેશ કરવાની ઇચ્છા કરશે. આ સર્વનું કારણ એજ છે કે, સારા કે ખોટા વિચારો કે ક્રિયાઓ જે સ્થળે કરાયેલી હોય છે ત્યાંના સ્થળ કે વાતાવરણમાં તેની અસર થયા સિવાય રહેતી નથી.
જ
શાસ્ત્રમાં પણ કહ્યું છે કે સ્ત્રીઓનાં ધાર્મિક ક્રિયા કરવાનાં વસ્ત્રો પુરુષોએ પહેરવાં નહિ. તેમ જ જે સ્થળે સ્ત્રી કે પુરુષ બેઠાં હોય તે સ્થળે બ્રહ્મચારી પુરુષ કે સ્ત્રીઓએ બે ઘડી થયા સિવાય બેસવું નહિ. આનું કારણ પણ તે જ છે કે વસ્ત્રમાં કે ભૂમિ ઉપર તેમના વિચાર કે ક્રિયાની અસર થયા સિવાય રહેતી નથી. માટે જ કહેવામાં આવ્યું છે કે વસ્ત્ર શુદ્ધ પહેરવાં અને સુવાની જગ્યાથી અલગ धरना हो पड़ा लागमां धार्मिङ डिया डरवा भाटे नियमित કરેલી જગ્યા હોય ત્યાં જઇ બેસી પરમાત્માનું ચિંતન કરવું. नमस्कार मंत्रनो भय उरखो.
પરમાત્માનું સ્મરણ કરવા માટે ઉત્તર દિશા તરફ કે પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસવું. ધર્મધ્યાન માટે આ બે દિશાઓને શાસ્ત્રમાં પવિત્ર માનવામાં આવી છે.
આથી એ નિશ્વય થયો કે વસ્ત્ર શુદ્ઘ પહેરવાં, સ્થળ પવિત્ર હોવું જોઈએ, શરીર પવિત્ર હોય અને ઉત્તત્તર કે પૂર્વ