________________
ચાલુ સ્વર પ્રમાણે પગ નીચો મૂકવો
[ પ ] મનમાં હશે નહિ તો જ મજબૂત સંસ્કાર મન ઉપર પડશે એ વાત ખાસ ધ્યાનમાં રાખવી. મન ઉપર મજબૂત સંસ્કાર પાડવા માટે દિવસના ભાગમાં હાલતાં, ચાલતાં, સુતાં, બેસતાં કે હરકોઈ કામકાજ કરતાં નિરંતર મનમાં નવકારમંત્ર ગણવાની ટેવ રાખવી, રસ્તે ચાલવું તેમાં પગનું કામ છે. પગ ચાલવાનું કામ કરશે તે વેળાએ મન તો વિચારો કરવાનું પોતાનું કામ ચાલુ રાખશે જ. તે વેળાએ વિના પ્રયોજનના સારા-નઠારા વિચાર કરવા તેના કરતાં પરમાત્માનું નામ મનમાં લેવાય તો શી હરકત છે? કાંઈ જ નહિ. આવી જ રીતે નવરા બેઠા હોઈએ, કાંઈ કામકાજ ન હોય તે અવસરે પણ આડાઅવળા નિરૂપયોગી વિચારો કરવા તેના કરતાં ભગવાનનું નામ લઈએ તો આપણને કાંઈ પણ નુકસાન ન થતાં ઊલટું પુણ્ય બંધાય છે. તેમજ રાત્રિએ પથારીમાં સુતા હોઈએ અને ઊંઘ આવતી ન હોય, તો ઊંઘ લાવવા માટે પથારીમાં આમતેમ આળોટો અને ઊંઘ લાવવા માટે આર્તધ્યાન કરતા હો, તેને બદલે ઊંઘ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પરમેશ્વરનું નામ લીધા કરો તો કેટલો બધો ફાયદો થાય? ભગવાનનું નામ લેતાં લેતાં ઘણીવાર તરત ઊંઘ આવી જાય છે. આપણું ધ્યાન ઈશ્વરના નામમાં હોવાથી રાત્રિએ સ્વપ્ન પણ સારાં સારાં આવે છે અને તેટલા વખત માટે પાપનો માર્ગ પણ બંધ થાય છે. માટે નિરંતર પરમાત્માનું નામ લેવાની ટેવ રાખવાથી તે અભ્યાસ મજબૂત થાય છે.
भनभां होठ न हलावतां परमात्मानुं नाम हातांथालतां गमे तेवा स्थणे लेवामां आवे तो पाश गेरायटो થતો નથી પણ ઊલટો સારો ફાયદો થાય છે. (ચાલુ સ્વર પ્રમાણે પગ નીચો મૂક્યો)
ત્યાર પછી પથારીનો ત્યાગ કરવા, પથારીમાં બેઠા થવું અને