________________
[ ૧૯૪ ]
ગૃહસ્થ ધર્મ નિંદા, કુથલી, ઈર્ષ્યા આદિમાં સ્વતંત્રતા થઈ આવે છે તેથી પતિત થવાય છે માટે તીર્થભૂમિમાં થોડું રહેવું, પણ ઘણું કામ સિદ્ધ કરીને પાછા આવવું. વિષય, કષાય પાતળા પાડી નાખવા, ગુણાનુરાગ વધારવો, દેહ અને ધનાદિ ઉપરથી મમત્વ ઓછો કરવો તીર્થમાં ઘણું રહેનારાના પરિણામો ઘણા જ હલકા હોય છે, તીર્થમુંડિયામાં તેને ગણવામાં આવે છે. ગરીબ, ભોળાંઓને છેતરવામાં, વિશ્વાસઘાત કરવામાં કે નીચ વર્તન ચલાવવામાં તેમને મન શંકા રહેતી નથી. આવી સ્થિતિ થતાં તીર્થભૂમિ એ આનંદ ભૂમિને બદલે ખેદની ભૂમિકા થઈ પડે છે.