________________
સાધારણ દ્રવ્ય
[ ૧૮૭ ]
—
—
—
—
—
—
—
(૨ને સાધારણ દ્રવ્યો
આ દ્રવ્ય ઘણું ઉપયોગી છે. આ ક્ષેત્ર ઘણું વિશાળ છે. ઉપરના સાત ક્ષેત્રો અને તે સિવાયનાં બીજાં નાના મોટાં તમામ ખાતામાં આ દ્રવ્યનો ઉપયોગ કરવામાં હરકત નથી. નાનામાં નાના જંતુઓ, પશુ અને પક્ષીઓ તથા કોઈ પણ પ્રકારના નાત, જાત કે ધર્મના તફાવત વિના દરેક મનુષ્ય જાતને આ ખાતાના દ્રવ્યમાંથી મદદ આપવામાં હરકત નથી. આ માટે કોઈ પણ વખતે હર્ષ કે શોકના પ્રસંગે જે દ્રવ્ય ધર્મ કે પરોપકાર માટે ખર્ચવાનું નક્કી કરવામાં આવે તે સાથે આ દ્રવ્યનો અમુક નાનો કે મોટો હિસ્સો બહાર કાઢવો. અને જરૂરિયાતના પ્રમાણમાં ગમે તે ખાતાને આ દ્રવ્યમાંથી મદદ આપવી.
અમુક નિયમિત મંદિર કે તીર્થ યા સાત ક્ષેત્રમાં કે પાંજરાપોળ યા જીવદયા ઈત્યાદિ ખાતાનું નામ પાડવા કરતાં સાધારણ ખાતે દ્રવ્ય ખર્ચવાનું નક્કી કરવામાં આવે તો તે ખાતામાંથી જે ખાતાને ચોક્કસ મદદ કરવાની જરૂરિયાત હોય તેમાં મદદ કરી શકાય, આ પ્રમાણે જ્યાં નથી કરવામાં આવતું ત્યાં કોઈ એક ખાતું ઘણા પૈસાવાળું થાય છે કે જેની અત્યારે જરૂરિયાત ઓછી હોય છે તેમાં દ્રવ્ય ભરપુર હોય છે, અને ખરી જરૂરિયાતવાળાં ખાતાંઓ દેવાદાર હોય છે. આથી જે દ્રવ્યની મદદથી સમાજ આગળ વધવાનો હોય છે તે પાછળ પડી જાય છે અને વગર પ્રયોજને બીજા ખાતામાં દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવે છે કે જેની ઉપયોગિતા અત્યારે ભાગ્યે જ સ્વીકારી શકાય, આ સ્થિતિ ઘણી સુધારવાની જરૂરિયાત છે.