________________
વ્યાવહારિક શિક્ષા
(૧) વ્યાવહારિક શિક્ષા
નિત્ય ન બની શકે તો પર્વના અને વિશ્રાંતિના દિવસે પુત્ર, પુત્રાદિ કુટુંબ વર્ગને પોતાની પાસે બેસાડી વ્યવહાર સંબંધી પણ ઉત્તમ શિક્ષા કુટુંબના આગેવાને આપવી જેમ કે
:
૧.
છોકરાઓ ! જે મનુષ્યની સોબતથી તમારામાં પાપની બુદ્ધિ પ્રગટ થાય તેવાઓની સોબત તમારે ન કરવી.
૨.
૩.
૪.
૫.
૬.
[ ૧૫૩ ]
૭.
૮.
મન, વચન અને કાયા વડે કોઈ પણ દિવસ ન્યાયનો માર્ગ મૂકી અન્યાયને માર્ગે ચાલવું નહિ.
કોઈનો પણ અવર્ણવાદ-અપવાદ-તમારે ન બોલવો, તેમાં વિશેષ પ્રકારે માતા, પિતા, ગુરુ, સ્વામી અને રાજા પ્રમુખની તો જરા પણ નિંદા ન કરવી.
મુર્ખ, દુષ્ટ, દુરાચારી, મલિન, ધર્મનિંદક, દુઃશીલ, લોભી અને ચોરની સોબતનો અવશ્ય ત્યાગ કરવો.
કીર્તિ મેળવવા માટે અજાણ્યા માણસના સાક્ષી ન થવું. અજાણ્યા માણસને પોતાના ઘરમાં રહેવા સ્થાન ન આપવું. દયા કે પરોપકારની લાગણીથી સ્થાન આપવું હોય તો ઘર સિવાય અન્ય સ્થળે આશ્રય આપવો.
અજાણ્યા કુળની સાથે વિવાહનો સંબંધ ન કરવો.
અજાણ્યા માણસને જ્યાં સુધી તેની ખાતરી ન થાય ત્યાં સુધી નોકર ન રાખવો.
૯. પોતાથી અધિક શક્તિવાળા સાથે કોપ ન કરવો.
૧૦. પોતાથી મહાન બળવાન શત્રુ સાથે યુદ્ધ ન કરવું કેમ કે તેથી સમૂળ પોતાનો નાશ થાય છે.