________________
—
—
—
—
—
—
—
—
—
—
[ ૧૫ર ]
ગૃહસ્થ ધર્મ જન્મ સાર્થક થાય છે. ધર્મને માટે અધિકારી થવાય છે. વ્યવહાર સુખરૂપ વિપત્તિના કંટક વિનાનો થાય છે.
આ પ્રમાણે ઘરની આગેવાન ગૃહસ્થ પોતાના મિત્ર, બંધુવર્ગ અને વાત્સલ્યતાવાળા કુટુંબ વર્ગની સાથે બેસી આપસમાં ધર્મકથા કરે, ઉત્તમ શિખામણ આપી પરિવારના મનુષ્યોને સન્માર્ગે ચડાવે અને પોતે પણ યોગ્ય સુંદર આચરણ રાખે.
આ પ્રમાણે કરવાથી પોતાનો પરિવાર દૈવી જીવન ગુજારનારો થાય છે અને તેથી પરસ્પર સર્વનાં જીવનો આત્મ માર્ગમાં ગગન વિહારી થાય છે.
--