________________
[ ૧૫૦ ]
સમય ઉચિત વર્તન કરનાર પરિવાર કોઈ પણ પ્રસંગે અણધારી વિપત્તિમાં સપડાતો નથી. અને આવી પડેલા વિષમ પ્રસંગોને સહેલાઈથી તરી પાર પામે છે. ઇત્યાદિ અનેક સદ્ગુણો પોતાના પરિવારને ઉત્તમ બનાવવાથી પ્રગટ થાય છે અને ધર્મનું આરાધન પણ તે સહેલાઈથી કરી શકે છે. માટે પોતાના પરિવારને વિચારશીલ, વ્યવહાર કુશળ, સમય ઉચિત વર્તન કરનાર, અનુકૂળ ધર્મશીલ અને સદાચારી બનાવવા પ્રયત્ન કરજો.
ગૃહસ્થ ધર્મ
———