SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ શુભ અને શુદ્ધકથા [ ૧૪૭ ] કરે છે અને છેવટે તે વસ્તુ મેળવે છે. તેમ જે જે ગુણ કે દોષ તરફ પ્રીતિ કે અપ્રીતિ હોય છે. તે તે વસ્તુનું ગ્રહણ કે ત્યાગ તે પોતાની પ્રબળ નિર્બળ ભાવના પ્રમાણમાં થોડે કે ઝાઝે ભાગે કરે છે. ગુણાનુરાગી મનુષ્ય ગુણીજનોનું બહુમાન કરે છે. નિર્ગુણીની ઉપેક્ષા કરે છે. છતાં કે અછતા અન્યના દોષો બોલવા કે સાંભળવામાં કોઈ ગુણ તો થતો નથી પણ તે બતાવતાં વૈરની વૃદ્ધિ થાય છે અને દુર્બુદ્ધિ યા દ્વેષ ઉત્પન્ન થાય છે. અનાદિકાળથી જીવો દોષોથી ભરપૂર છે તે દોષો જોવા તેમાં કાંઈ અધિકતા નથી પણ ગુણ પેદા કરવા કે અન્યમાંથી ગુણ જોવા તેજ ઉત્તમ કર્તવ્ય છે. ગુણાનુરાગી મનુષ્ય ધર્મને લાયક થાય છે. ભાઈઓ! તમે પણ ગુણાનુરાગી થજો. શુભ અને શુદ્ધક્યા) | વિનયવાન બાળકો ! તમારે વ્યવહારના પ્રસંગોમાંથી મળેલી ફુરસદનો વખત તત્ત્વજ્ઞાનનો, આત્મકર્તવ્યનો અને પ્રાપ્તવ્યનો વિચાર કરી સફળ કરવાનો છે. મનુષ્ય જન્મની એક ક્ષણપણ ઘણી જ કિંમતી છે. છેલ્લી મરણ પથારીએ પડેલા મનુષ્યને જ તેની અમૂલ્યતાની ખરી ખબર પડે છે. એવું દુર્લભ અને પવિત્ર જીવન અસત્ કથાઓ, નિંદા અને કુથલીઓ કરી વ્યતિત કરવામાં આવે તો તેના જેવું બીજું શોચનીય શું ગણાય? સ્ત્રીની કથા, દેશની કથા, રાજ્યની કથા અને ભોજન સંબંધી સારા નઠારા ગુણ અવગુણવાળી કથાને વિકથા કહે છે, આત્મભાન ખોઈને, રાગદ્વેષની કે અજ્ઞાનતાની પરિણતિમાં પરિણમીને જે આવી કથામાં પ્રવૃત્ત થાય છે તે યુક્ત અયુક્તનો વિવેક કરી શકતો નથી. તે અછતા અપવાદ બોલી વેર વિરોધને વધારે છે. અને પરિણામમાં
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy