________________
[ ૧૪૪] –– ––– –––––––––2
ગૃહસ્થ ધર્મ લિજજાવાના-અકાર્યનો ત્યાગ ક્રનાર)
છોકરાઓ ! લજ્જાવાન માણસ અકાર્યનો ત્યાગ કરે છે. નાનામાં નાના ખરાબ વર્તન કરવામાં પણ શરમ આવે છે.
- લજ્જાવાન માણસ અંગીકાર કરેલી પ્રતિજ્ઞા-વ્રત, નિયમ, ટેક વગેરેનો નિર્વાહ કરે છે. તેનો પાર પામે છે. સ્નેહ કે કોઈના બળાત્કારથી પણ પોતાની તે કરેલી પ્રતિજ્ઞાનો ભંગ કરતો નથી. આરંભેલા કાર્યનો ત્યાગ કરવો તે તેને મન મરવા જેવું લાગે છે. છતાં આ લજ્જાળું ગુણમાં એટલી સાવધાનતા રાખવાની છે કે કોઈ ખોટી પ્રતિજ્ઞા, બીજાને નુકસાનકારક પ્રતિજ્ઞા, અજ્ઞાન કે ક્રોધાદિ પરિણતિવાળી સ્થિતિમાં બીજાને નુકસાનકારક કરાયેલી પ્રતિજ્ઞાને વળગી રહેવાનો કદાગ્રહ આ લજ્જાળુ ગુણને અંગે ન હોવો જોઈએ.
જ્યાં લજ્જાની જરૂરિયાત હોય ત્યાં લજ્જાવાન થવું અને જ્યાં સત્ય કહેવાની જરૂરિયાત હોય ત્યાં સામાને છાતીમાં વાગે તેવું હોય પણ પરિણામે સુખકારી હોય તો હિંમતથી તે સત્યનો આશ્રય કરી સાચેસાચું જણાવી દેવું. ખોટી લજ્જા સ્વપર બનેને નુકસાનકારક છે.
લજ્જાળું માણસ સદાચારી હોય છે. અકાર્યનો ત્યાગ કરનાર હોય છે. સદાચાર માટે જરા પણ તેને શરમ હોતી નથી. અને તેથી જ હૃદયની પવિત્રતા વધતાં નિર્મળ ધર્મનો પણ તે અધિકારી થાય છે. માટે તમે પણ લજ્જાવાન થજો.
(દયાળુ) પ્રાણીઓની અનુકંપવાળા થવું વહાલા બાળકો ! દયા એટલે પ્રાણીઓનું રક્ષણ કરવું. દુઃખીઓને મદદ કરવી. તેના દુઃખો ઓછાં કરવાં. નિરાશ થયેલાઓને