________________
લોકપ્રિય થવું
[ ૧૪૧ ] ઉલ્લંઘન કરવું, ઉલ્ટટ વેશ પહેરવો. હોંશાતોંશથી-દેખાદેખીથીચડસા-ચડશીથી પરમાર્થની બુદ્ધિ વિના દાન કરવું, સારા માણસને કષ્ટ પડતા રાજી થવું, છતી શક્તિએ ઉત્તમ ઉત્તમ માણસને પડતા નિવારણ ન કરવું, ઇત્યાદિ કાર્યો લોક વિરુદ્ધ જાણવાં. જે કામ કરવામાં વિના પ્રયોજને નિર્દયતા વાપરવી પડે, તે સર્વ પરલોક વિરુદ્ધ કાર્યો જાણવાં.
આ લોક તથા પરલોક ઉભય વિરુદ્ધ કાર્ય સાત વ્યસનો છે. (૧) જુગાર રમવો (૨) માંસ ભક્ષણ કરવું (૩) દારૂ, માદક પદાર્થો ખાવા-માદક પીણાં પીવાં (૪) વેશ્યાગમન કરવું (૫) શિકાર કરી નિર્દોષ પશુ-પંખીઓનો સંહાર કરવો (૬) ચોરી કરવી (૭) પરસ્ત્રીગમન કરવું.
આ કર્મો આપણાં તરફ પ્રીતિ ધરાવનારા લોકોને આપણાથી વિમુખ રાખનાર છે. અપ્રીતિ ઉત્પન્ન કરાવનાર છે તેનો ત્યાગ કરનાર મનુષ્ય જ ધર્મનો અધિકારી થાય છે.
તેમ જ દાન દેવું, યોગ્ય સ્થળે સખાવતો કરવી, યોગ્ય ગુણવાન મનુષ્યોનો વિનય-સત્કાર કરવો, સદાચારી થવું ઇત્યાદિ સારાં કામોથી લોકોને પ્રિય થવાય છે આવો લોકપ્રિય માણસ પોતે ધર્મ માર્ગે ચાલે છે. અને બીજાઓને પણ ધર્મ અંગીકાર કરવામાં આંતર પ્રીતિ ઉત્પન્ન કરે છે.
ભીરુ) છોકરાઓ ! પોતાના દુષ્ટ કર્મોથી આ લોકમાં તેમ જ પરલોકમાં ઉત્પન થતાં દુઃખોનો વિચાર કરી પાપમાં પ્રવૃત્તિ નહિ કરનાર મનુષ્ય પાપ ભીરુ કહેવાય છે. અથવા જન્મ, મરણ, રોગ, શોક, આધિ, વ્યાધિ, ઉપાધિથી ઉત્પન્ન થતાં ભવનાં-સંસારનાં દુઃખોનો