________________
[ ૧૩૪ ]
-------------
*
પુત્રાહિકને શિખામણ
ભોજન કર્યા બાદ બે ઘડી લગભગ શાંતિ લેવી આ શાંતિનો વખત પોતાના પુત્રાદિ કુટુંબ વર્ગને સારી શિખામણો આપી સગુણી બનાવવાના પ્રયત્નમાં વ્યતિત કરવો.
ઘર કે કુટુંબમાં આગેવાન ગણાતા પુરુષો કે સ્ત્રીઓની ફરજ છે કે પોતે સગુણી-સદાચારી થવું અને તેની છાપ કુટુંબના માણસો ઉપર પાડવી. જો ઘરનો આગેવાન માણસ સદ્ગણી નથી હોતો તો તે વિરુદ્ધ માર્ગે વર્તન કરનાર કુટુંબને સુધારી શકતો નથી. એટલું જ નહિ પણ તેના આચરણો જોઇને ઘરના માણસો તેનું અનુકરણ કરે છે અને તેમ થતાં પોતે તથા પોતાના આશ્રયતળે વસનાર કુટુંબના તે દુર્ગતિના માર્ગમાં હડસેલે છે. માટે ઘર કે કુટુંબના આગેવાન માણસોએ પોતે સદાચારી થવું અને કુટુંબના માણસોને તેવા બનાવવા માટે પ્રયત્ન કરવો.
ભાઈઓ! ધનવાન થવું તે દૈવ(પૂર્વકમ)ને આધિન છે. પ્રયત્નની પૂર્ણ જરૂર છે છતાં જ્યારે બધા પ્રયત્નો નિષ્ફળ નીવડે છે, અથવા વિપરિત થાય છે, વસ્તુ મળવા છતાં રૂપાંતરે નાશ પામે છે અને એમ સર્વ રીતે નિષ્ફળ નીવડે છે. ત્યારે સમજાય છે કે ધનાદિ સંપત્તિની પ્રાપ્તિમાં પૂર્વ કર્મનો હાથ છે. આવા પ્રસંગે પણ સગુણ મેળવવાસગુણી થવું તે તો પોતાને આધિન છે. એ વાત ચોક્કસ ધ્યાનમાં રાખવી. જેમ જેમ સત્ય તત્ત્વ સમજવામાં પ્રયત્ન કરાય છે. તેમ તેમ સદ્ગુણો આત્મા તરફ આકર્ષાય છે. સગુણ મેળવવા માટે પૂર્ણ પ્રયત્નની જરૂર છે અને આ પ્રયત્નમાં પ્રયત્નના પ્રમાણમાં મનુષ્યો વિજયી નિવડે છે. કારણ આત્મા સ્વભાવથી જ પૂર્ણ છે સત્ય એ જ