________________
[ ૧૩૨ ]
સંભળાવવાં ધાર્મિક કથાઓ કહી બતાવી અને અનુભવની વાત કરી શિખામણો આપી, તેઓ સર્વ પવિત્ર જિંદગી ગુજારે તેવો પ્રયત્ન કરવો.
ગૃહસ્થ ધર્મ
1
રાત્રિએ સૂતાં પહેલાં હાથ પગ ધોઇ પંચ પરમેષ્ઠિ મંત્રનું સ્મરણ કરવું. અરિહંતનું, સિદ્ધપરમાત્માનું, પવિત્ર સાધુઓનું અને ધર્મનું શરણ અંગીકાર કરવું તે તે શરણ કરતી વખતે તે તે મહાન વ્યકિત અને શક્તિનો ઉચ્ચતમ આદર્શ પોતાનાં આંતરચક્ષુ સામે ખડો કરી, તેમના શરણે, તેઓની પવિત્ર છાયા નીચે પોતાના જીવનને મૂકવું.
એઓ મારા હૃદયમાં પવિત્રતાને પ્રેરો, દુર્ગુણોને બહાર કાઢો, સત્ય સમજાવો, સત્યના માર્ગમાં ચલાવો અને વિષમ પ્રસંગે મારો સર્વ વાતે બચાવ કરો, આ ઉદ્દેશ તે મહાન પવિત્રાત્માઓનું શરણ ગ્રહણ કરવાનું છે.
ત્યાર પછી ગૃહસ્થાશ્રમમાં પણ પવિત્ર શીયળ પાળનાર સુદર્શન આદિ પવિત્ર જીવાત્માઓની અનુમોદના કરવી, શ્રીમાન સ્ફુલિભદ્રાદિ મહાત્માઓ જેઓ પવિત્ર જીવન ગુજારનારા છે, વિષમ પ્રસંગમાં પણ દેઢ બ્રહ્મચર્ય પાળનારા છે, તેમના જીવનના નિર્મળ આદર્શો પોતાના નેત્ર આગળ ખડા કરી, અપૂર્વ લાગણી સાથે નમન કરવું અને પોતામાં તેવી દૃઢતા કેમ આવે તેનો વિચાર કરવો.
બ્રહ્મચર્ય પાળવાની પોતાની અદૃઢતાને જોઈ પોતાથી અધિક દૃઢતાવાળાની અનુમોદના કરવી. ખરેખર પોતાનું સત્ય સ્વરૂપ પ્રગટ કરવામાં વિઘ્નરૂપ વિષયોની વાસના જ છે, તે જો શાંત થાય તો મોક્ષ જરાપણ દૂર નથી.
આ પ્રમાણે વિચારો કરી નિદ્રાવશ થવું. ધર્મના પર્વ દિવસોમાં કોઈ પણ વખત મૈથુન સેવવું નહિ તથા બને તેટલો વિષયવાસના ઉપર મનનો કાબૂ રાખવો.
ઘણા વખત સધી ઊંઘવું નહિ વધારેમાં વધારે છ કલા નિદ્રા