SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ G " ( જૈન ધર્મ ), અને Jainism is not Atheism ( જૈન ધર્મ નાસ્તિક નથી અર્થાત્ જૈન ધર્મનુ આસ્તિકય ) એ પુસ્તકાથી અનુપમ સાહિત્યસેવા કરી છે. દિગમ્બર જૈન ’ તેમજ અન્ય માસિકેા વિગેરેમાં તેઓ અવારનવાર મનનીય લેખા લખે છે અને એ રીતે તે સાહિત્યસેવા કર્યાં કરે છે. તેમના લેખા બહુધા ધર્મ વિષયક હાય છે. ધર્મ પ્રચાર. જૈન ધર્મ આત્માનું વાસ્તવિક કલ્યાણ કરી આત્માનુ અધિરાજ્ય સ્થાપનારો ધર્મ છે, તે પરમ મંગળકારી અને સુખદાયી ધમ છે, સત્યતા અને પૂર્ણતાની દ્રષ્ટિએ અપૂર્વ છે, વળી એ Scientific ( વૈજ્ઞાનિક ) ધ હાવાથી વિચારક યૂરેશપ અને અને અમેરિકાને ખરાખર ખધખેસતા છે. હિંસા આદિથી ખદબદી રહેલ દુનિયાને માટે તે મેાક્ષમત્રરૂપ છે. તેનું તત્ત્વજ્ઞાન સ્યાદ્વાદ ( Relativism ) યુકત હાવાને લીધે વિશ્વવ્યાપી બની શકે તેવુ છે. આ બધાના વિચાર કરતાં જૈન ધર્મના પ્રચારનું મહત્ત્વ જેટલું કહીએ તેટલુ ઓછુ છે. ભાઇ વારને ધર્મ પ્રચારનું મહત્ત્વ યથા રીતે પીછાણી જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં શકય હાય ત્યારે ત્યારે અને ત્યાં ત્યાં ચેાગ્ય રીતે ધર્મપ્રચાર કરવાનુ તે ચૂકયા નથી. ભાઇ વારનની વ્યાપક ધમ પ્રચારની ભાવના નિપ્રતિદિન વધતી જ જાય છે એ અત્યંત હર્ષાસ્પદ છે. સત્ય ધન વિશ્વમાં પ્રચાર કરવાની તેમની ધગશ અનુ રણીય છે. અન્ધુ વારનના વિષયેા ( Papers ) ધર્મ પ્રચારની દ્રષ્ટિએ કેટલીક વાર બહુ મહત્ત્વનાં હાય છે. તાજેતરમાં Society for the study of world's Religions સમક્ષ જૈન ધર્મ સબંધી એક નિબ ંધ વાંચ્યા હતા, જે શ્રોતાએને ખૂબ પસ ંદ પડયા હતા અને શ્રોતાએ ભાઇ વારનનાં ધર્મજ્ઞાનથી મંત્રમુગ્ધ બન્યા હતા.
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy