SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ કરતાં આપણે પિતે તેમાંથી શીખવા કે શીખામણું લેવાની વિશેષ ધારણા રાખવી જોઈએ. ૧૦૪ ગમે તે છટાદાર વક્તા હોય તે પણ વચ્ચે થોડીવાર વિશાએ લે, તે તેના ભાષણની અસર વધારે ઉંડા સુધી પહોંચે છે. ૧૦૫ પંડિતની સભામાં મૌન ધારણ કરવું એજ મૂખે માણસનું ભૂષણ છે. ૧૦૬ સાંભળી રહેવાની ટેવ પાડવી એ બેલતાં શીખવાના જેટલું જ મહત્ત્વનું છે. જે સાંભળ સાંભળ કરે છે તેને શીખવાનું ઘણું મળે છે તેની સબત કોઈને કંટાળા ભરેલી લાગતી નથી ૧૦૭ આપણા મિત્રના કે આપ્ત જનના સંબંધમાં કોઈ વિરૂદ્ધ વાત આપણે કાને આવી હોય, તે તે એકદમ ખરી નહિ માની બેસતાં તેને ઉદાર અર્થ ગ્રહણ કર જોઈએ, અને રૂબરૂમાં મળતાં તેના સંબંધમાં તે જે ખુલાસે કરે તે સ્વીકારવું જોઈએ. વિવેક દષ્ટિથી વિચાર કરીશું તે આ માગ સર્વ રીતે પસંદ કરવા એગ્ય છે. બીન જરૂરી મુર્ખાઈ ભરેલી લઢવાડો અનર્થકારક છે. તે જે ખુલાસો કરે તે ન સ્વીકારતાં ગટ તકરાર ઉભી કરીએ, તે આખરે ગેરવ્યાજબી તકરાર માટે પશ્ચાતાપ કરવો પડશે. ૧૦૮ ગઈ ગુજરી વીસરી જઈ ક્ષમા કરવી એજ સાધુતાનું લક્ષણ છે.
SR No.022997
Book TitleNiti Vichar Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKesarvijay Gani, Gyanshreeji
PublisherKantilal Manilal Khadkhad
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy