SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ૮૭ ક્ષમા કરવામાં શકિત-સામર્થોને ખપ પડતો નથી, પણ માત્ર ઈચ્છાની જરૂર પડે છે. આપણે અપરાધ કરનાર, આપણને પિતાને અપરાધ ક્ષમા કરવાની તથા પિતા ઉપર આપણુ ક્ષમા રૂપી દેવી ગુણને ઉપયોગ કરવાની આપણને તક આપે છે એ રીતે તે આપણે ઉપકારી છે. ક્ષમા સાધુ પુરૂષનું લક્ષણ છે. વેર વાળવાની વૃત્તિએ પામર જીવનું કામ છે. અપક્કરના બદલામાં ઉપકાર કરનાર એ સાધુ પુરૂષના નામથી ઓળખાય છે. આપણે બીજાના અપરાધની ક્ષમા ન કરીએ, તે આપણને પરમાત્મા પાસે ક્ષમા માગવાને અધિકાર રહેતું નથી. ૮૯ વેર લેવાની ટેવ રાખવામાં ફાયદે અનિશ્ચિત છે, અને નુકસાન તે ચોકકસ છે. ક્ષમા કરીને શત્રુને ઠેકાણે લાવ એ વેર લેવાને સુંદર ઉપાય છે. ઈર્ષા સપના વિષ કરતાં પણ વધારે અનર્થકારક છે. કારણ કે સર્વેનું વિષ સપને નુકસાન કરતું નથી, પણ ઈર્ષા તે તેના માલીકને પણ નુકસાન કરે છે. ૯૧ સાચે નેહી મિત્ર બે રીતે ઉપયોગી છે તેના સમાગમ સંપત્તિને વિશેષ સુખદાચિ બનાવે છે, અને વિપત્તિને સુસહ્ય બનાવે છે. સુખના દિવસમાં મિત્રને સહવાસ આનંદમાં વધારે કરે છે. દુઃખના દિવસમાં દુઃખને વિસારે કરાવે છે.
SR No.022997
Book TitleNiti Vichar Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKesarvijay Gani, Gyanshreeji
PublisherKantilal Manilal Khadkhad
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy