SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ આફત વખતે મિત્રને પડખે રહી તેનું રક્ષણ કરવું. સંકટ વખતે સહાય કરવી અને દુઃખમાં દિલાસો આપ કારણ કે ખરા સ્નેહી મિત્ર મળવા દુર્લભ છે, કે જેઓ પોતાના જીવના ભેગે પણ ખરી વખતે મિત્રને સહાય કરે છે ૯૩ મિત્રના ઉપર આપણે બધી રીતને હક છે ખરે, પણ તેની પાસે કેઈપણ ખોટું કે આબરુને લાંછન લાગે એવું કામ કરાવવાની આશા રાખવી જોઈએ નહિં. સનેહ દુર્ગુણને નહિં પણ સદગુણને પિષક થવું જોઈએ, ૯૪ ખરા મિત્રે જરૂરના પ્રસંગે પિતાના નેહીના કાન ઉઘાડવામાં જરા પણ સંકેચ માન કે પાછી પાની કરવી નહિં. ફકત તેની ફજેતી ન થાય, અને તે ઉપહાસને પાત્ર ન બને એ ઢબથી કહેવું જોઈએ. શત્રુને માઠું લગાડવાની હિમ્મત ગમે તે માણસ કરી શકે છે, પણ મિત્રને માઠું લગાડનારા વિરલાજ મળી આવે છે. ૫ મિત્રની સાથે વાદવિવાદ કરવામાં ઘણું જોખમ રહેલું છે. તકરારમાં ઉતરવાથી ઘણું વખત વિપરીત પરિણામ આવે છે. મિજાજ ખોઇને બોલવાથી માઠું પરિણામ આવે છે. મનુષ્યને સ્વભાવજ એ છે કે પિતાની ભૂલ કબુલ કરવી તે તેને બહુ વસમું લાગે છે. માટે મિત્રએ કઈ દિવસ વાદવિવાદમાં ઉતરવું
SR No.022997
Book TitleNiti Vichar Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKesarvijay Gani, Gyanshreeji
PublisherKantilal Manilal Khadkhad
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy