________________
૩૮ જાણું શકતા નથી. જે સર્વ હકીકત આપણું જાણવામાં આવે તે તેવા દરેક કાર્ય ક્ષમા કરવા યોગ્ય લાગી
આવે અને આપણે તેને માફી આપી શકીએ. ૬૬ પિતાની જાતને ઓળખતાં શીખવું તે સૌથી કઠણ તે કામ છે. અને બીજાના કામમાંથી ભૂલે કાઢવી એ
સૌથી સહેલું કામ છે. ૬૭ અમુક માણસે આમ કરવું જોઈએ અને આમ ન
કરવું જોઈએ એવી ભાંજગડમાં પડવાને બદલે માણસ માત્રે પોતાનાજ કર્તવ્યના ચિંતનમાં તત્પર રહેવું જોઈએ. આપણા સિવાય બીજા બધા ઉપર ક્ષમાશીલ વૃત્તિ રાખવી પિતાના દેષ ઉપર કડક દષ્ટી રાખી
બીજા બધા માણસેના દોષ ઉપર મીઠી દષ્ટી રાખવી. ૬૮ આપણા સ્નેહીઓનાં છીદ્ર ખોળવા કરતાં શત્રુઓના
ગુણ લેવાની ટેવ વધારે રાખવી જોઈએ. ૬૯ આપણે પિતેજ જ્યારે જેવા થવા ધારતા હોઈએ
છીએ તેવા થઈ શકતા નથી, તે પછી સામે ઘણી આપણુ મરજી પ્રમાણે વતે એવી આશા શા માટે રાખવી જોઈએ? આપણી મરજી પ્રમાણે લેકે ચાલે એવી જેની ઈરછા હોય તેણે લેકેની મરજી પ્રમાણે
ચાલવાને તત્પર થવું જોઈએ. ૭૦ આપણે હંમેશાં બીજાની ભૂલ કાઢવા બેસીએ છીએ.
પણ આપણે પિતાના દેષને લીધે આપણે કેટલું બધું નુકશાન વેઠતા હોઈએ છીએ તેને ખ્યાલ પણ