________________
THશકયા
જિનશાસનના અણમોલ તત્ત્વો, અજોડ પદાર્થો, અનુપમ પરમાર્થો અને અદ્ભુત તર્કો મહાનિધાન સમા છે. પણ એ નિધાનને તાળું મારેલું છે. આ તાળાની ચાવી એટલે સંસ્કૃતભાષા. આમે ય સંસ્કૃત જેવી પદ્ધતિસર, નિયમબદ્ધ અને રોચક બીજી એકે ય ભાષા નથી. પણ, આ સંસ્કૃત ભાષા થોડી અટપટી અને અઘરી છે. એટલે જ આ ભાષામાં સરલતાથી પ્રવેશ થઈ શકે તે માટે આચાર્ય વિજય શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દી વર્ષે સંસ્કૃતભાષા ભણવા માટે ઉપયોગી પાંચ પુસ્તકોનો સેટ પ્રકાશિત કરતા અમે અનહદ આનંદ અનુભવીએ છીએ.
નવા-નવા સ્વાધ્યાયો, નિયમોની સરળ રજૂઆત અને રૂપો ગોખવાની સરળ પદ્ધતિઓથી આ પાંચેય પુસ્તક જિનશાસનમાં આજેય બનશે. એવી ભાવના સહ...
દ્વિતીય આવૃત્તિ વેળાએ...
અમને અત્યંત હર્ષ છે કે અધ્યયનશીલ વર્ગે અમારા પ્રયાસને ઉમળકાભેર અભિનંધો છે. જેના ફલસ્વરૂપે આ બીજી આવૃત્તિ પ્રકાશિત કરવા જઈ રહ્યા છીએ... આ જ પ્રતિભાવ બન્યો રહે એ જ અપેક્ષા તથા આના માધ્યમે સંસ્કૃત અધ્યયન સરળ અને શીધ્ર બને એ જ મંગલ કામના...
શ્રીદિવ્યદર્શન ટ્રસ્ટ વતી, કુમારપાળ વી. શાહના
પ્રણામ