SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘનજીનુ વ્યિ જિનમાર્ગદર્શન આ ઉપરથો હું આત્મબંધુ! તું મારા આશય સમજી શક્યા હાઈશ; ઉક્ત ષ્ટિબિન્દુ લક્ષ્યમાં રાખી ઉપર જે કહ્યું તેના વિશેષ વિચાર કરી જોજે, એટલે તારી સર્વ શંકાનું સમાધાન થશે. આ પ્રમાણે કહી યાગિરાજ માન રહ્યા. ૧૨ એટલે તે પથિક પરમ ભાવેાલ્લાસમાં આવી જઈ તે ચેગિરાજના ચરણે પડયા ને ખોલી ઉઠચા—મહારાજ ! આપે તે ભારે કરી ! થાડા ‘સાગરવર ગભીરા’યોગી- સાદા રાજને ભકલિ હશે, શબ્દોમાં આપે આટલું મધુ રહસ્ય છુપાવ્યું આટલા બધા આશય ગોપન્ગેા હશે, આટલા બધા ૮ ધ્વનિ ’ રાખ્યા હશે એની મારા જેવા પામરને ખબર ન્હોતી, એટલે ઢાઢડાહ્યા થઇ મેં આપને માર્ગ દેખાડવાની ધૃષ્ટતા કરી તેથી જે કાંઈ અવિનય થયા હાય તે માટે ક્ષમા કરો ! ખરેખર, આપ તે સાગરવરગંભીરા’ છે, આપના આશય સમુદ્ર જેવા અગાધ છે, આપ પરમ જ્ઞાની મહાત્મા છે, આપ આચાર્યોના આચાર્ય છે, આપ ગુરુએના ગુરુ છે. જે પૂર્વે કદી પણ કયાંય સાંભળ્યુ ન્હોતુ' એવું અપૂર્વ મા રહસ્ય સમજાવી, આપે આ પામર પર પરમ ઉપકાર કર્યાં છે. આપની જિનમા પ્રત્યેની અતાઝ પણ પરમ અદ્ભુત છે, જિનમાર્ગના સાચા પરમ પ્રભાવક આપ છે!, જિનશાસનના સાચા શણગાર આપ છે. ચેગિગજ ! વર્તમાન સમાજ વગેરેને અપેક્ષીને આપે જે કંઇ કહ્યું, તેનુ વિશેષ સ્પષ્ટીકરણ હું આપના શ્રીમુખે જ શ્રવણ કરવા ઇચ્છું છું. 6
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy