SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરાજને ભયંજલિ ૧૩ ચેગિરાજ–મહાનુભાવ! આજે સમય બહુ થઈ ગયો છે. મારે હજુ સ્વાધ્યાય-ધ્યાન આદિમાં પ્રવર્તવાનું છે; માટે આજે કહ્યું છે તેનું મનન કરજે, ને કાલે આ સામેના ગિરિશંગ પર પુન: પ્રાત:કાળે મળજે, એટલે હું તારી જિજ્ઞાસાને તૃપ્ત કરીશ. વટેમાર્ગ–જેવી આપની આજ્ઞા. (અને પિતાને પંથે પડે છે ) ૩. દિવ્ય “આનંદઘન મૂર્તિનું દર્શન પથિક પિતાને આવાસે આવ્યા. ત્યાં પણ તેના મનમાં અવધૂત ગિરાજનાં વચનામૃતનું મનન ચાલી રહ્યું હતું. તે આજને દિવસ ધન્ય ધન્ય ગિરાજનું ગુણદર્શન માનતે હતે. આવા અદ્ભુત મહાત્મા મુનીશ્વરને આકસ્મિક સમાગમ થયે તે પિતાને પુણ્યદય સમજતો હતો, તેમજ ચિંતવતે હતે કે–મેં મારી આટલી જીવનયાત્રામાં અનેક શાસ્ત્રવિશારદોને સમાગમ કર્યો હશે, અનેક ન્યાયપારંગત પંડિતને પરિચય સાધ્યો હશે, અનેક સાધુસંતોને સંસર્ગ સે હશે, પણ મને કયાંય આ અવધૂતના જેવી ચેમ્પી, સ્પષ્ટ, નિર્મલ વાત સાંભળવામાં નહતી આવી. આજે મને અપૂર્વ શાંતિ ઉપજી છે. અહ! ગિરાજની કેવી અદ્ભુત આત્મસમાધિ ! કેવી તેમની સુપ્રસન્ન આનંદમય મૂર્તિ! અહો! એમનું મૌન પણ પરમ ઉપદેશ દેતું હતું ! શી એમની મધુર વચનામૃતધારા! મૌનીંદ્ર પ્રવચનનું એમનું રહસ્યજ્ઞાન
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy