SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્ચય-વ્યવહારને સમન્વય લાકડાના ઘડાને સાચે ઘેડ માને છે, “સિંહ” કહેવાતા બિલાડાને સાચે સિંહ માને છે, તે તે વ્યવહારના વર્તલમાં જ ભમ્યા કરે છે ને મધ્યબિન્દુરૂપ નિશ્ચય લક્ષ્યને ચૂકી જઈ અનંત પરિભ્રમણમાં જ ભમ્યા કરે છે. પણ સર્વ વ્યવહારસાધનને એક નિશ્ચયરૂપ મધ્યબિન્દુના લક્ષ્ય પ્રત્યે-સાધ્ય પ્રત્યે જે દેરી જાય છે, તે જ નિશ્ચયરૂપ આત્મવસ્તુની સિદ્ધિ કરે છે, તે જ પરમાર્થરૂપ મેક્ષમાર્ગને પામે છે, તે જ સિદ્ધ બની કૃતકૃત્ય થાય છે. આમ યથાર્થ વસ્તુસ્થિતિનું તેમને ભાન નહિં હોવાથી તેઓ માર્ગને પામતા નથી. મને તે પરમાત્મા પ્રત્યે પરમ પ્રીતિ–ભક્તિ જાગી છે. તે પરમ પ્રીતિના પ્રભાવે મારે કંઈક અંતરાત્મામાં પ્રવેશ થતાં, મને તે પરમાત્માના સર્વાંગસુંદર ડળને ઝંડી મળને મૂળ માર્ગનું કંઈક દર્શન થયું છે. વળગે અહે ! કે સુંદર, સરસ, નિર્મલ માગે ! પણ અહીં બહાર નજર ફેરવું છું તે તેની આસપાસ અનંત જાળ બાઝી ગયા છે, અનંત થર જામી ગયા છે, તે મૂળમાર્ગનું ભાન કયાંય દેખાતું નથી, માત્ર પાંદડાં કે ડાંખળાં પકડીને લોકે કૃતકૃત્યતા માની બેઠા છે ! એટલે મારા આત્મામાં સ્વાભાવિક સંભ થયો કે આ પરમ સુંદર માર્ગ છતાં આ લેકે તેનું ભાન કેમ ભૂલી ગયા હશે? આમ તે માર્ગ પરના પરમ પ્રેમથી મારા આત્મામાં તીવ્ર ખેદનું સંવેદન થયું, જેથી સ્વાભાવિક અંતરાગાર સહજ નીકળી પડયા કે – પંથડે નિહાળું રે બીજા જિનતણે રે, પંથડે નિહાળું રે બીજા જિનતણે રે.”
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy