SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધનાના અજોડ પ્રસંગે “જૈનધર્મ ” માં જોવા મળે છે. આવા પ્રસંગે ધર્મથી વિમુખ બનેલી-નિપ્રાણ બનેલી પ્રજા અને સમાજમાં ધર્મ ભાવનાનો ઉદ્યોત કરી તેને ધર્માભિમુખી બનવાની પ્રેરણું આપે છે. જિનશાસનમાં તપ, તપસ્વી અને તપસ્વીની ભક્તિને એ તો મહિમા દવા છે કે તપની અનુમોદના, તપસ્વિની ભક્તિ પણ તીર્થકર નામ ગોત્ર બાંધવાનું એક નિમિત્ત બની જાય છે. આ વિભૂતિને જન્મ સં. ૧૯૮૫માં આષાઢ વદિ ૩ ના રેજ શ્રી શત્રુંજય ગિરિરાજની ટૂંક તરીકે શાસ્ત્રમાં જેનું વર્ણન છે તે તાલધ્વજગિરિ (તળાજા) પાસેના નાના એવા “કામરેલ” ગામે થયો હતે. ગામ બીલકુલ નાનું હતું. તે વખતે ત્યાં શ્રાવકેના ૧૫/૨૦ ઘરો હતા, પણ તે બધા ધર્મના સંસ્કારોથી વિભૂષિત હતાં. ગામડું હતું છતાં ધર્મ સંસ્કારનું ધામ હતું. ગામને પાદરેથી કમળા નદી ખળખળ વહેતી રહેતી હોવાથી, આસપાસની લીલી વનરાજીથી વિકસિત થયેલું એ ગામ હતું. હવામાન શીતળ અને આહલાદક હતું. હાલ ત્યાં ભવ્ય અને બેનમુન જિનાલય તેમજ ઉપાશ્રય પણ છે. આવું બધું આવા નાના ગામમાં ત્યારે જ શક્ય બને છે કે જે ધર્મના પાયાના ઉમદા અને ઉચ્ચ સંસ્કારે હોય તે. મુનિરાજ શ્રી રત્નાકરવિજયજી ના સંસારી દાદા. પ. પૂ. મુનિશ્રી વિનયપ્રભ વિજયજી મ. સા.
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy