SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન ખાશે, પત્તો નહિ ખાય. પ્રણિધાન જે મળ્યું છે તેની સ્થિરતા મેળવી દઉં, નથી મળ્યું તેના પર દયા. અધિક હેય તેમાં બહુમાન. આ બે રહે તે ભાવધર્મનું પહેલું પગથિયું. આ પહેલું પગથિયું મળ્યા છતાં બીજી વસ્તુ મેળવવા માટે જવ તલપાપડ ન થાય ત્યાં સુધી મેળવેલી વસ્તુના બીજા ભેદમાં આવી શકીએ નહિ (૧). ભાવને બીજે ભેદ પ્રવૃત્તિ ત્યારે જ પરિણમે પ્રવૃત્તિ-આગળ ધપ. દુનિયા આરંભ પરિગ્રહમાં છે, તમને ધપાવે છે.ક્રિયા, ગુણના બહુમાનવાળા હે, ઘર્મની કિંમત સમજે છે તે યાહેમ કરીને ચાલે. આગળ ધપવાની બુદ્ધિ ન થાય, યાહેમ કરવાની વૃત્તિ ન થાય, ત્યાં સુધી તે વસ્તુને રસ જાગ્યો છે એમ કહેવાય નહિ. બૈરી રોટલે નાંખવા જાય છે. બાઈ આપવા આવી છે. છતાં કૂતરો તરાપ મારે છે, વચમાં વાર ખમાતી નથી. નાખવાનું છે, એને માટે લાવી છે, છતાં આકાંક્ષા તીવ્ર છે. એવા તલપવું જોઈએ કે વહેલો કેમ મળે? આ સ્થિતિએ પ્રવૃત્તિ થાય ત્યારે ભાવને બીજો ભેદ પ્રવૃત્તિ (૨). સમ્યગ્દશન વગેરેની સ્થિતિ તે તો આત્માની મિલકત પ્રણિધાનથી પિતાની સ્થિતિને નિશ્ચય. બીજામાં જાય ત્યારે ઊલટ. એ પ્રવૃત્તિ વધતાં જેને નાત રાખવી છે તેને નાત બહારને ડર. જેને નાત રાખવી નથી તેને ? તેવી રીતે દરેક ધમાંથીઓએ ધ્યાનમાં રાખવું કે આ ધાર્મિક પ્રવૃત્તિ કરવા માંડું તેમાં જ ધાડ પડવાની છે. ધનવાળાએ ધન લાવવા પહેલાં ધાડમાંથી બચવાના ઉપાયો દયાનમાં લેવા પડે છે. સમ્યગ્દર્શન વગેરેની સ્થિતિ તે આત્માની મિક્ત છે, તેની ઉપર ધાડ તૈયાર છે. ખોરાક લઈ જાઓ તેને ઢાંકીને લઈ જ પડે છે, નહિ ઢાંકે તે ચકલી, કાગડા તૈયાર બેઠા છે. આત્મામાં આવતા એક પણ ગુણ ચાહે તે સમ્યગ્દર્શન રૂપે છે, તપસ્યા રૂપે છે, એક પણ ગુણ ઉપર કર્મરાજાના કાગડા ચાંચ માર્યા વિના રહેવાના નથી. ટેડને કાગડા કૂતરાની આભડછેડ ન હોય. ઢેર બંદોબસ્ત ન કરી શકે તેથી એક બાજુ તે ખાય, બીજી બાજુ
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy