SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ - - ૧૦૪] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન તીર્થકરના વચા ઉપર ભરોસો રહે તે આમા ખડે કેમ ન કરાય ? આત્માને શુદ્ધ ચિદાનંદસ્વરૂપ જાણીએ. તેને દેખ્યો નથી ત્યારે તેના સ્વરૂપને કયાંથી દેખીએ? આબરૂને રક્ષણ કરજે, ઘટાડે ન કરજે. આ બરૂ તે દેખાતી નથી, તે શી રીતે બતાવાય? તેનું (આબરૂનું) ફળ બતાવાય. કોઈ ઊભા થાય છે-તે બુદ્ધિ ઉપર ભરોસે રાખીને તેને કહેનાર કહે છે કે જે બુદ્ધિ મારી ન જાય. બુદ્ધિ વધારજે. તે (બુદ્ધિ) કેવી છે? લાલ, પીળી છે? તો પછી આત્મા માનવામાં વાંધો શો આવ્યા છે ! આત્માને સ્વભાવ, આકાર જે જિનેશ્વરે બતાવે તે ધ્યાનમાં રાખીએ તો બસ છે. સગાઈ કરતી વખતે વરને દેખે હે તે નથી, પણ તેનું સ્વરૂપ સાંભળવાથી સગાઇ કરી શકાય છે. જેમ કહેવાવાળા ઉપર ભરોસે રહો તો જમાઈનું, વેવાઈનું સ્વરૂપ ખડું કરી દીધું. તેમ તીર્થંકરના વચન ઉપર ભરોસો રહે તે આત્મા ખડો કેમ ન કરી શકાય? સમ્યગ્દર્શન એ પારકા શાને સ્વસ્વરૂપમાં આવે ખુદ સભ્યત્વ લઈએ તો પારકા જ્ઞાને જ્ઞાન કરવાનું. સ્વયં જ્ઞાને જ્ઞાન નહિ. તમે કહેશે મતિ, મૃત તે આપણું આત્મામાં છે તે પછી સ્વયં જ્ઞાન કેમ નથી? મતિ, મૃત શાસ્ત્રની ઘરનાં છે. ધર્માસ્તિકાય વગેરેનું જ્ઞાન મતિ, મૃતથી થવું નથી. મતિજ્ઞાન સર્વ દ્રવ્યને જાણે પણ તે સૂવના આદેશ મતિજ્ઞાન ચાલતું હોય ત્યાં; સૂત્રના ઈસારાવાળું શ્રુતજ્ઞાન ન હોય તે, ત્યાં ધર્માસ્તિકાય જણાવાના નથી. મતિ, શ્રુતજ્ઞાન ભલે ગણાય પણ ભાડૂતી પિતાના નહિ. છઘસ્થનું સ્વયં મતિ, શ્રુતજ્ઞાન હોય તો તે ધર્માસ્તિકાયાદિને જણાવનાર હોય નહિ. તેમાંથી સર્વર ભગવાનને અંશ લાવે તે ધર્માસ્તિકાયાદિ જણાય. સમ્યક્ત્વ એ ભાડૂતી જ્ઞાનથી. અવધિ, મનપર્યવ રૂપીને જણાવે છે. શ્રુતજ્ઞાન સર્વપી, અરૂપીને જણાવે છે. અવધિ, મનઃપર્યાવની સર્વ જણાવવાની તાકાત નથી. શ્રદ્ધાને માટે તે પદાર્થોનું જ્ઞાન
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy