________________
૨૧૮
યુગપ્રધાન શ્રીજિનચંદમુરિ વ્યક્તિઓને ખાન-પાન, વસ, ઔધ આદિ દઈ પ્રશંસનીય સહાયતા કરી, આ સહાય કચિત ક્ષેત્ર પૂરતી જ નહીં. કિન્તુ જે કોઈ માણસ કઈ પણ ધર્મ કે જાતિના હોય તેને પણ આપવામાં આવતી, ત્યાં આવી ઉદાર ભા ના હોય ત્યાં સ્વજાતિ ને સ્વધર્મીઓની તો વાત જ શું? એવા હીન સ્થિતિના
ધર્મિઓને વર્ષભરના ખર્ચ જેટલું દ્રવ્ય ગુપ્તરૂપે પહોંચાડવામાં આવતું. ૧૩ માસ પછી અકાલ થઈ જતાં આશ્રિતને પિતાના ખર્ચે સથવારો કરીને સ્વસ્થાને પહોંચાડવામાં આવ્યા.
સં. ૧૬૩૩ માં સુરસમખાને સરોહી લૂંટી. ત્યાંથી સર્વ ધાતુની ૧૦૫૦ જિનપ્રતિમાઓ લાવી ફતેપુરમાં સામ્રાટ અકબર પાસે પેશ કરી, સમ્રાટે પોતાના ધર્મસહિષ્ણુતાના ઉત્તમ ગુણને કારણે એને ગળાવી સોનું કાઢવાનું વિવિધ કર્યું, અને એક સારા સથળે સાવચેતીથી કાપવાનો આદેશ કરવા માટે પાતાની આજ્ઞા સિવાય કોઈનેય નહીં દેવાનું ફરમાન કર્યું. જૈન સંઘમાં આ પ્રતિમાઓ પુનઃ પ્રાપ્ત કરવાની આતુરતા વધવા લાગી; પરંતુ સમ્રાટને મળીને એમની આજ્ઞા મેળવવી એ પણ કાર્ય કોઈ સહેલું નહોતું. પ-૬ વર્ષ વીતી ગયા, પરંતુ જિનબિંબોને છોડાવવા કઈ સમર્થ ન નીવડ્યું. જયારે એ વાત મંત્રીશ્વર કર્મચંદ્ર સાંભળી ત્યારે એમના હૃદયમાં આ વાત ખૂબ અટકી ને યેનકેન પ્રકારેણ લાખ રૂપિયા ખર્ચીને પણ એને પ્રાપ્ત કરવાનું પોતાના સ્વામી રાયસિંહને નિવેદન કર્યું. આથી એમણે પણ મંત્રીશ્વરને સાથ આપે, ને સમ્રાટ અકબરને ઘણી ભેટ ધરી પ્રસન્નતા પ્રાપ્ત કરી. એમનાં માંગવાથી સમ્રાટે તમામ પ્રતિમાઓ એમને સુપ્રદ કરવાનું ફરમાન કર્યું.
સં. ૧૬૩૯ ના અષાઢ સુદિ ૧૧ ગુરુવારને દિન એ