________________
ભક્ત શ્રાવક મણ
૨૧૩
મહાન પ્રચાર કર્યા કરતા હતા. આથી સૂરિજીનો ભક્તશ્રાવકગણ આજકાલની માફક ધર્મતત્ત્વથી અજાણ કે વિચલિત શ્રદ્ધાવાળો નહીં, પરંતુ એકમાત્ર દેવ, ગુરુ અને ધર્મને જ આધ્ય માનવાવાળે અને પરમ વિજ્ઞ હતો. કહેવાની જરૂરત નથી કે એજ કપ ણે એ યવન સામ્રાજ્યના ભયંકર ધાર્મિક સંઘર્ષ માં પણ એ પોતાના ધર્મમાં રપટલ અને દઢતાપૂર્વક સ્થિર રહી શકયે. એણે ધર્મની કેવળ રક્ષા કરી એમ નહીં, પરંતુ અપૂર્વ આત્મત્યાગ કરી ધર્મની અનેકાનેક સેવાઓ કરી, જેમાં તીર્થોની રક્ષા, જીર્ણોદ્ધાર, પ્રશંસનીય શિલ્પકલાનાં મૂર્તિમંત સ્વરૂપ નવા દેવમંદિરોનાં નિર્માણ, સ્વધર્મીઓને સહાય આદિ મુખ્ય છે. ધાર્મિક સેવાની સાથે દેશસેવા, લેકોપકાર આદિ આવશ્યક શુભ કાર્યોમાંય એ કોઈથી પછાત ન રહ્યો. દુકાળના સયમાં એ પોતાના કટાપાજિત દ્રવ્યને પાણીની માફક વેરવામાં જરાય અચકાતે નહીં. મુસલમાન રાજ્યકાળને દુષ્કાળના સમયે જેને એ યથાસાધ્ય દાનશાળાઓ ખેલી નિઃસહાય અને નિર્ધનની રક્ષા કરવાનું જે મહાન ગૌરવ પ્રાપ્ત કર્યું, એ અન્ય કોઈ સમાજને પ્રાપ્ત નહીં થએલ.
સૂરીશ્વર મહારાજના કેટલાક અદ્ધિમંત અને પદાધિકારી શ્રાવકોનો નાલેખ આગલા પ્રકરણોમાં આવી ગએલ છે. એતિહાસિક સાધનના અભાવને કારણે એ બધાનો વિશેષ પરિચય આપી શકાય તેમ નથી, છતાંય એમાંથી બે પ્રતિભ - શાળી અને પ્રધાન નરરત્નને યથાજ્ઞાત પરિચય આપ્યા વિના ગ્રંથને એક આવશ્યક અંગ અપૂર્ણ રહી જાય તેમ છે, તેમજ અમે પણ એમની મહાન સેવાને ગુણાનુવાદ લખ્યા વિના રહી શકતા નથી, એટલે આ પ્રકરણમાં એમનું યથાજ્ઞાત જીવન આપવામાં આવશે.