________________
પ્રકરણ ૧૪ નું
આજ્ઞાનુવર્તી સાધુ-સંઘ
- આ છે ગલી પ્રકરણમાં મૂરિજીના વિશાલ શિષ્ય
ફૂime mi સમુદાયનો પરિચય આવી ગયો. શિષ્યો ઉપરાંત તત્કાલીન આજ્ઞાનુવર્તી સાધુસંઘને પણ સૂરિજીનાં જીવન સાથે ઘનિષ્ટ સંબંધ છે, એટલે એમને પરિચય પણ આપવો અત્યાવશ્યક હેઈ અત્રે સંક્ષેપથી આપવામાં આવે છે.
(૧) મહેપાધ્યાય પુણ્યસાગર -તેઓશ્રી સત્તરમી સદીના પ્રૌઢ પ્રતિભાશાળી તેમજ ગીતાર્થ વિદ્વાનોમાં અચગણ્ય હતા. તેઓ ઉદયસિંહજીના સહધર્મિણી ઉત્તમદેવીની રત્નકુક્ષિએ અવતરેલા. બાદશાહ સિકંદર લોદીને ખુશ કરી ૫૦૦ બંદીજનોને કારાવાસમાંથી મુક્ત કરાવનાર આચાર્ય જિનસસૂરિજીએ (સં. ૧૫૫૫–૮૨) પિતાના વરદ હસ્તે એમને દીક્ષા આપેલ. આપણુ ચરિત્રનાયક શ્રીજિનચંદ્રસૂરિજીને સૂરિપદના યોગ ઉપધાન–તપ આદિ એમણેજ વહન કરાવ્યા