________________
૧૭૦
યુગ ધાન શ્રીજચંદ્રસૂરિ જ્ઞાન ભંડાર) ભદ્રાનંદ સંધિ આદિ અનેક કૃતિઓ ઉપલબ્ધ છે, જેમનો પરિચય સ્વતંત્ર નિબંધમાં આ પવામાં આવશે. વા. રોજ લાભજીના પ્રિય પં. રાજસુન્દર, ક્ષમાધીર અને એમના શિષ્ય ગુણભદ્ર, નયણરંગ આદિ હતા. વા. હીરકીર્તિ જીના બીજા શિષ્ય મતિહર્ષજીના વા. વનલાભ અને મહિમામાણિક્ય નામના બે શિષ્ય હતા. વા. ભુવનલાભજીના તેજસુન્દર અને મહિમામાણિક્યજીના મહિમસુન્દર. શ્રીચન્દ્ર આદિ શિષ્ય હતા.
(૭) નયન કમલ–એમના શિષ્ય જયમ દિજી શિષ્ય કનકકીર્તિ સારા કવિ હતા. જેમના ૧ નેમિનાથ રાસ, [સં. ૧૬૯૨ મહાસુદ ૫ બીકાને], ૨ દ્રૌપ, રાસ (સ. ૧૯૯૩ વૈશાખ સુ. ૧૩ જેસલમેર], ૩ મેઘદૂત દાવ્ય અવગૃ િઆદિ ઉપલબ્ધ છે.
(૮) યુગપ્રધાન શ્રીજિનસિંહરિ–તેઓ ભારે પ્રતિભાશાળી અને પ્રખર વિદ્વાન હતા, ગુરૂદેવની સાથે વર્ષો સુધી રહી એમણે વિનય, વિદ્વત્તા, વ્યાખ્યાન કળા આદિ ગુણ પ્રાપ્ત કર્યા હતા. ટુંકમાં એટલું જ કહેવું બસ થશે કે સૂરિજીના ઘણાખરા ગુણો એમનામાં આવી ગયા હતા. એમણે સમ્રાટ અકબરના દરબારમાં સુરિજીથીયે પહેલાં જઈ પિતાની લેકોત્તર પ્રતિભાથી સમ્રાટને જૈનધર્મના અનુરાગી બનાવ્યા હતા. સં. ૧૬૨૮ ને આગરાન - રિજીની સાથે એમનું પણ નામ આવે છે.
એમને જન્મ સં. ૧૬૧૫ ના માગસર સુદિ ૧૫ ના ખેતાસર ગામે થયો. એમના પિતાનું નામ ચોપડા ગોત્રીય શાહ ચાંપસી, અને માતાનું નામ ચાંપલદેવી હતું. એમનું મૂળ