________________
યુગપ્રધાન શ્રીજીનચંદસૂરિ ત્યાંથી ગામેગામ વિહાર કરતા કરતા સૂરિ મહારાજ સુરત પધાર્યા. એમના આગમનથી સંઘમાં ભારે ખુશાલી થઈ ધર્મધ્યાન વિપુલ પ્રમાણમાં થવા લાગ્યાં. વર્ષાકાલ નિકટ હોવાથી સં. ૧૬૪પનું ચોમાસું સૂરિજીએ સુરતમાં કર્યું.
સં. ૧૬૪૬નું અમદાવાદ, અને સં. ૧૬૪૭નું ચોમાસું પાટણ કર્યું. સં. ૧૯૪૭માં શ્રાવિકા કેડાએ સૂરિજી પાસે બારવ્રત ગ્રહણ કરેલ, જેને રાસ મહોશ્રી જયસમજી કૃત (કપડા પર લખેલી પ્રતિ) અમારા સંગહમાં છે. તેને. આવશ્યક ભાગ આ પ્રમાણે છે –
"श्रीजिनवन्द्रसरि श्रीमुखइ. श्राविका कोंडां एह । आदरइ बारह व्रत इसा, शुभ दिवस रे मन हर्ष धरेह ॥ १८ ॥ सोलहसइ सैंताल समइ, वैशाख सुदि दिन तीज । इम ढाल बंध गुंथिया, श्रावक व्रतरे जिह समकित बीज ॥१९॥ जिनदत्तसूरि गुरु सांनिधइ, जिनकुशलसूरि सुपसाइ । जयसेाम गणि इणिपर कहर, शुभ भावइरे दिन दिन सुख थाइ॥२०॥
પાટણથી વિહાર કરી અમદાવાદ થઈ સૂરિજી ખંભાત પધાર્યા, ત્યાં શ્રીસ્તંભન પાર્શ્વનાથ પ્રભુના તીર્થના દર્શન કર્યા ખંભાતના સંઘે સૂરિજીને અત્રેજ ચોમાસું કરવા વિશેષ આગ્રહ કર્યો. સંઘને આ આગ્રહ ઈસૂરિજીએ અહીં જ સ્થિરતા કરી. દેહા- પૂરા પશ્ચિમ ૩ર૪, દક્ષિણ વિહુ રિશિ ગઇ ! संघ चाल्पउ शत्रुजय भणी, प्रगटी महियल वाण ॥ २१ ॥
विक्रमपुर मडावरउ, सिन्धु जेसलमेर।।
सीरोही जालोरनउ, सोरठ चांपानेर ॥ २२ ॥ संघ अनेक तिहां आविया, मेटण विमल गिरिन्द। ढोकतणी संख्या नहीं, साथि गुरू जिनचन्द ॥ २३ ॥ [ યુગપ્રધાન શ્રી જિનચન્દ્રસૂરિ અકબર પ્રતિબંધ રાસ, સ. ૧૬૫૮]